ફક્ત ભારતમાં જ નહીં પડોશી દેશમાં પણ તબલીગી જમાત માથાનો દુખાવો સાબિત થઈ છે. અહીં પણ પ્રતિબંધ છતા જમાતે મરકજનું આયોજન કર્યુ હતુ. જેને કારણે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં તબલીગી જમાતના મૌલાનાનું કોરોનાથી મોત થયું છે.
પાકિસ્તાનમાં તબલીગી જમાતના ફૈસલાબાદ પ્રમુખ મૌલાના સુહૈબ રુમીનુ કોરોના વાયરસને કારણે મોત નિપજ્યું છે. 69 વર્ષીય રુમીની પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
ગત મહિને તેમણે લાહોરના રાયવિંડમાં તબલીગી જમાતની એક સભામાં ભાગ લીધો હતો. એક અધિકારીઓ જણાવ્યું કે તેમના પૌત્ર સહિત પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ થઈ ગયા છે.
પરિવારને ફૈસલાબાદથી લગભગ 150 કિમી દુર સ્થિત આઈસોલેશન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબમાં તબલીગી જમાતના લગભગ 1100 સભ્યો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.