મુંબઇ: મહારાષ્ટ્રના નાસિકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત રેલી સંબોધી હતી અને લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો જીતવાનો સંકલ્પ લીધો. આ સાથે જ કાર્યકર્તાઓને આહવાન કર્યું કે તે સંપૂર્ણ તાકાતથી આ સંકલ્પ પૂર્ણ કરે.
ફડણવીસે કહ્યું કે રાજ્યમાં ગઠબંધન બનતાં વિરોધ પક્ષનો જુસ્સો ઘટી ગયો છે. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસે યુતી વિરુદ્ધ એક થવાનો પ્રયાસ કર્યો પણ તેમના સ્વપ્ન ધરાશાયી થઈ ગયા. શિવસેના ભાજપનું ગઠબંધન કાયમ રહેશે. કેન્દ્ર સરકારે વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કર્યા છે.
દેશ ઝડપથી પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે.દેશની સુરક્ષા પર સવાલ ઉઠાવનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે. તો શિવસેવા પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે રાજ્યની 48 ટકા બેઠકો પર ગઠબંધનનો કબજો હશે.
આ સંબંધ આજથી નહીં પરંતુ 25 વર્ષથી છે. અત્યાર સુધી અમે શું કહ્યું તે ભૂલી જાઓ. સૌ કોઈને આ ગઠબંધન જીતે તેના માટે કામ કરવાનું છે. ઠાકરેએ કહ્યું કે અમે હંમેશા જનતા માટે સંઘર્ષ કર્યો છે.