મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારે જે ઉલટફેર થયો છે, તેને લઇને માત્ર રાજ્યના જ નહીં પરંતુ દેશભરના લોકોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી શિવેસના-NCP-કોંગ્રેસ સાથેની વાતચીતને લઇને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમને લઇને સહમતિ થઇ હોવાના સમાચાર વચ્ચે NCP ના અજિત પવારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન આપી સરકાર બનાવતાં રાજ્યના બધા સમકીરણો બદલાય ગયાં.
જો કે આ સાથે હવે દેશની નજર મહારાષ્ટ્રમાં બનેલી નવી સરકારને લઇને બહુમતિના જાદુઇ આંકડા પર છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠક છે. સરકાર બનાવવા માટે બહુમતિનો જાદુઇ આંકડો 145 નો છે. જેમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાંખીએ તો ભારતીય જનતા પાર્ટી 105, શિવસેના 56, NCP 54 અને કોંગ્રેસને 44 બેઠક મળી છે.
ભાજપને આ રીતે મળ્યું સંખ્યાબળ
તાજા ઘટનાક્રમ બાદ એવુ માનવામાં આવી રહ્યું છે કે NCP થી અલગ રસ્તો પકડીને ભાજપની સાથે સરકારમાં સામેલ થનાર અજીત પવાર પાસે આ જરૂરી સંખ્યા છે. શરદ પવારે આ અંગે જણાવ્યું હતું કે ભાજપને સમર્થનનો નિર્ણય અજિત પવારનો પોતાનો છે. જેને લઇને અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે NCP ના બધા 54 ધારાસભ્યોનો સાથે ભાજપને મળ્યો નથી. રાજકીય સૂત્રોનું માનીએ તો અજીત પવારની સાથે NCP ના 35 ધારાસભ્ય છે. તેની સિવાય અપક્ષ ધારાસભ્યોના સમર્થનની સાથે ભાજપે સરકાર બનાવાનો દાવો રાજ્યપાલને રજૂ કર્યો અને દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા.
Nawab Malik,NCP:Ye dhoke se banayi gayi sarkar hai aur ye vidhan sabha ke floor pe haaregi, saare vidhayak hamare saath hain. #Maharashtrapic.twitter.com/TISmQENzTo
ગઠબંધન સરકારને લઇને પત્રમાં કરેલ સહીને લઇને NCP તરફથી મોટું નિવેદન આપ્યું છે. NCP નેતા નવાબ મલિકે કહ્યું છેકે અમે ધારાસભ્યોની સહી લીધી હતી, જેનો શપથ માટે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગેરસમજ ઉભી કરી પત્ર સોંપવામાં આવ્યો છે. આ દગો આપીને સરકાર બનાવામાં આવી છે જે વિધાનસભાના ફ્લોર પર હારશે. બધા ધારાસભ્યો અમારી સાથે છે.
જો કે ભાજપના નેતા ગિરીશ મહાજને દાવો કર્યો છે કે NCP ના બધા ધારાસભ્યોનું સમર્થન ભાજપને મળ્યું છે. મહાજને કહ્યું અમારી પાસે 170 ઉપર ધારાસભ્યો સાથે બહુમત સાબિત કરીશું. અજીત પવારે રાજ્યપાલને પોતાના ધારાસભ્યનું સમર્થન આપ્યું છે અને તેઓ NCP ધારાસભ્ય દળના નેતા છે.