ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આ રોજબરોજ 60 હજારથી વધારે નવા કેસ આવી રહ્યા છે. આના કારણે દેશમાં કુલ કોરોનાના કેસ 31 લાખથી આગળ પહોંચી ગયા છે. સાથે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. આખરે કેમ ભારતમાં આટલા ઝડપી કેસ વધી રહ્યા છે તેનું કારણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જણાવ્યું છે.
બેજવાબદાર, ઓછા જાગૃત લોકો માસ્ક નથી પહેરી રહ્યા
બેજવાબદાર, ઓછા જાગૃત લોકો સામાજિક અંતરનું પાલન નથી કરી રહ્યા
...આથી ભારતમાં મહામારી વધી રહી છે
ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે મંગળવારે દેશમાં વધતા કોરોના વાયરસના મામલાની સ્પીડનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક બેજવાબદાર લોકોના માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખલાના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે આઈસીએમઆરએ બીજો રાષ્ટ્રીય સર્વે શરુ કર્યો છે જે સપ્ટેમ્બર પહેલા પુરો કરવામાં આવશે.
ભાર્ગવે એક સવારનો જવાબ આપતા કહ્યું કે હું એમ નહીં કહુ તે યુવાનો અથવા વુદ્ધો આમ કરી રહ્યા છે. હું કહીશ કે બેજવાબદાર, ઓછા જાગૃત લોકો માસ્ક નથી પહેરી રહ્યા અને સામાજિક અંતરનું પાલન નથી કરી રહ્યા જેમાં ભારતમાં મહામારી વધી રહી છે. તેમણે કહ્યું કે ગત રાષ્ટ્રીય સીરો સર્વેના સમગ્ર રિપોર્ટની ફરી સમીક્ષા કરવામાં આવશે અને આ અઠવાડીયાના અંતમાં ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત કરી સકાય છે.
ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે કોરોનાના ટેસ્ટમાં વધારો થવા છતાં સંક્રમણ થવાના દરમાં ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે રેખાંકિત કરાયેલા કેસમાં પહેલા વાર 24 કલાકમાં 6,423નો ઘટાડો આવ્યો છે. રોજ 10લાખ 600 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે 1 ઓગસ્ટે રોજના 10 લાખ 363ની હતા. ભાર્ગવે કહ્યું કે હાલમાં આપણી પાસે 1524 લેબ છે અને 25 ઓગસ્ટ 2020 સુધી 3, 68,27, 520 લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.