હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર સરકારી યોજના હેઠળ દરેક લોકોને 2.67 લાખ રૂપિયા આપી રહી છે. જેને પગલે એક મેસેજ પણ શેર કરાઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે સરકારી યોજના હેઠળ તમારા બેંક એકાઉન્ટમાં 2,67,000 રૂપિયા જમા કરવામાં આવ્યાં છે.
સરકારી યોજના હેઠળ દરેક લોકોને મળી રહ્યાં છે 2.67 લાખ રૂપિયા?
મોબાઈલ પર મેસેજ આવે તો થઇ જજો સાવધાન, થશે છેતરપિંડી
શું છે વાયરલ મેસેજની હકીકત?
સરકારી સંસ્થા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા આ મેસેજનુ ફેક્ટ ચેક કર્યુ છે અને જણાવ્યું છે કે મોબાઈલ પર મળી રહેલ આ મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે. આ સાથે પીઆઈપીએ કહ્યું છે કે સરકાર આ પ્રકારની કોઈ યોજના ચલાવી રહી નથી અને આ પ્રકારના મેસેજથી સરકારને કોઈ લેવાદેવા નથી.
મેસેજ મળતા જ થઇ જજો સાવધાન
જો તમારા પણ મોબાઈલ પર આવો મેસેજ આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારી યોજના હેઠળ તમારા ખાતામાં 2.67 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યાં છે તો સાવધાન થઈ જજો. પીઆઈબીએ જણાવ્યું કે સરકારી યોજનાના નામ પર આવા છેતરપિંડીના મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે અને પછી તેનાથી તમારા બેંક એકાઉન્ટ પરથી સ્કેમ કરી શકાય છે. તેથી આવા મેસેજથી બચીને રહો.
લિન્ક પર ભૂલથી પણ ના કરો ક્લિક
સરકાર યોજના હેઠળ 2.67 લાખ રૂપિયા આપવાનો દાવો કરનારા મેસેજની સાથે એક લિન્ક પણ મોકલી રહી છે. આ લિન્ક પર ભૂલથી પણ ક્લિક ના કરશો. પીઆઈબીએ આ પ્રકારના મેસેજથી બચવા અને મેસેજની સાથે મળી રહેલ લિન્ક પર ક્લિક ના કરવાની સલાહ આપી છે. આવી લિન્ક પર ક્લિક કરવાથી તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે.
Did you also receive a message claiming that your bank account has been credited with Rs 2,67,000 under 'Govt Yojana'?