તિરંગો નહીં ખરીદનાર લોકોને રેશન કાર્ડ નહીં મળે તેવો મેસેજ વાયરલ થયા આખરે પીઆઈબી દ્વારા તેનું ફેક્ટ ચેક કરાયં હતું જેમાં મેસેજ ખોટો હોવાનું પુરવાર થયું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેસેજ
ઝંડો ખરીદશો તો જ મળશે રેશન
પીઆઈબી ફેક્ટ ચેકમાં મેસેજ ફેક હોવાનું પુરવાર થયું
દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દરેક ઘરમાં તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અહીં દરેક ઘરમાં તિરંગો અભિયાન શરૂ થવાની સાથે જ અનેક પ્રકારના ભ્રામક સમાચારો પણ સામે આવવા લાગ્યા છે. જે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહી છે.
20 રુપિયાનો ધ્વજ ખરીદશો તો જ મળશે રેશન- વાયરલ થયો મેસેજ
સોશિયલ મીડિયા પર એક મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ગરીબો 20 રૂપિયાનો ઝંડો નહીં ખરીદે તો તેમને રેશન આપવામાં નહીં આવે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો ધ્વજ ખરીદવામાં નહીં આવે તો સરકારના આદેશ અનુસાર રેશનની દુકાનેથી રેશન નહીં આપવામાં આવે.
Claim:As per the instructions of Government of India,the poor are being forced to buy the flag forcibly to buy ration#PIBFactCheck:
▶️No such instruction has been given by GOI
▶️An errant ration shop has been suspended for violating orders of the Govt and misrepresenting facts pic.twitter.com/iNxxJmPREJ
વાયરલ મેસેજનો દાવો ભ્રામક અને ગેરમાર્ગે દોરનારો
ઝંડો નહીં તો રેશન નહીં તેવો મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આને કારણે જે લોકો રેશન મેળવતા હતા તેઓ મૂંઝવણમાં મૂકાયા હતા તેથી પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે તેની તપાસ શરૂ કરી હતી. ટીમને જાણવા મળ્યું કે વાયરલ મેસેજમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે નકલી અને ભ્રામક છે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે સરકારના આદેશોનું ઉલ્લંઘન કરવા અને તથ્યોને ખોટી રીતે રજૂ કરવા બદલ એક રેશન ડીલરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વાયરલ મેસેજની ચકાસણી કર્યા વગર શેર ન કરો
સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ઘણી વખત કોઇ પણ મેસેજને વાંચ્યા વગર જ બીજાને શેર કરતા હોય છે. પરંતુ હંમેશા બીજાને મેસેજ કે એવી કોઇ વસ્તુ મોકલતા પહેલા તે મેસેજની દરેક રીતે તપાસ થવી જોઇએ. ખોટી માહિતી હંમેશાં બીજાને આપવામાં આવતી અટકાવવી જોઈએ. ગેરમાર્ગે દોરતા સંદેશાઓને હંમેશા ટાળવા જોઈએ.