દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની વચ્ચે સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ પર થોડાક દિવસો પહેલા મેસેજ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શહેરના 15 કિમીના ઘેરાની અંદર વાહન ચાલકે હેલમેટ પહેરવું ફરજિયાત નથી. આ સમાચારની સત્યતા તપાસવામાં આવી છે. જેમાં જોવા મળ્યું કે આ સંપૂર્ણ રીતે ફેક ન્યૂઝ છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો(પીઆઈબી) તરફથી આને ફેક અને ખોટા સમાચાર ગણાવવામાં આવ્યા છે.
અહીં 15 કિમીના ઘેરામાં લોકોએ હેલ્મેટ પહેરવુ ફરજિયાત નથી
પીઆઈબી તરફથી આને ફેક અને ખોટા સમાચાર ગણાવવામાં આવ્યા
અત્યારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે
એવો દાવો કરવામાં આવ્યો છે કે સાગર કુમાર જૈન નામના એક વ્યક્તિની અરજી પર કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. વોટ્સએપ પર વાયરલ મેસેજમાં સાગરકુમારની અરજીના રેફરન્સથી લખવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા અથલા નગરપંચાયતના વિસ્તારમાં 15 કિમીના ઘેરામાં લોકોએ હેલ્મેટ પહેરવુ ફરજિયાત નથી.
વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે કોઈ ટ્રાફિક પોલીસ તમને હેલ્મેટ માટે પુછે તો કહી દેવાનું કે હું મહાનગર પાલિકા અને નગરપંચાયતની હદમાં છું. કેમ કે શહેરના 15 કિમીના દાયરામાં હવે હેલ્મેટ પહેરવું જરુરી નથી.
ફેક્ટ ચેક
दावा : व्हाट्सप्प पर वायरल एक मैसेज में यह दावा किया जा रहा है की शहर से 15 किलोमीटर के दायरे के अंदर वाहन चालकों को अब हेलमेट पहनना अनिवार्य नहीं है#PIBFactCheck : यह दावा फर्जी है! वाहन चालकों को अभी भी हेलमेट पहनना अनिवार्य है l pic.twitter.com/rFQBnV7zDM
ભારત સરકારના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાને ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરી કહ્યું છે કે આ દાવો ફેક છે. વાહન ચાલકોએ અત્યારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ જ પ્રકારે બે દિવસ પહેલા એક મેસેજ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રામ મંદિરનો નિર્ણય સંભળાવનાર પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના સંક્રમિત થયા છે. જોકે આ સમાચાર ફેક હતા.