ભારતમાં કોરોના વાયરસના કેસ રોકવાનું નામ નથી લઈ રહ્યા. વાયરસના વધતાં કેસના કારણે બધાની ચિંતામાં વધારો થયો છે જેના કારણે ઇન્ટરનેટ પર પણ વિવિધ પ્રકારની માહિતીઓ ફરવા લાગી છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે NDMAનો પત્ર
25 સપ્ટેમ્બરથી ફરીથી લોકડાઉન લાગૂ કરવાનો દાવો
સરકારે આ પત્ર ખોટો હોવાની સ્પષ્ટતા કરી
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 49 લાખને પાર થઇ ગયા છે જ્યારે 80 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચેપી વાયરસ હજારો લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં આ વધતાં વાયરસના કારણે વિવિધ માહિતીઓ ફરતી થઇ ગઈ છે. જેમ આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમ ગેરમાહિતીઓ પણ એટલી જ ગતિથી ફેલાઈ રહી છે.
એક તરફ દેશ વાયરસથી લડી રહ્યો છે ત્યાં બીજી તરફ લોકો અફવા ફેલાવવામાં લાગેલા છે. સોશ્યલ મીડિયામાં એક પત્ર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે 25 સપ્ટેમ્બરના રોજ લોકડાઉન લાગી શકે છે. જોકે સરકારના અંતર્ગત કામ કરતી સંસ્થા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે આ પત્ર ખોટો છે.
Claim: An order purportedly issued by National Disaster Management Authority claims that it has directed the government to re-impose a nationwide #Lockdown from 25th September. #PIBFactCheck: This order is #Fake. @ndmaindia has not issued any such order to re-impose lockdown. pic.twitter.com/J72eeA62zl
સોશ્યલ મીડિયામાં જે પત્ર ખૂબ વાયરલ થઇ રહ્યો છે તેમા કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના વાયરસને રોકવા અને મૃત્યુદરને ઓછો કરવા માટે NDMA ભારત સરકાર, વડાપ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રાલયથી 25 સપ્ટેમ્બર, 2020થી 46 દિવસ સુધી કડક રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ફરીથી લાગૂ કરવા આગ્રહ કરે છે.
જોકે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ મુદ્દે એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે આ પત્ર ખોટો છે. PIBએ કહ્યું કે દાવો કરાઈ રહ્યો છે કે NDMA દ્વારા જાહેર એક આદેશમાં દાવો કરાયો છે કે તેણે સરકારને દેશવ્યાપી લોકડાઉન ફરીથી લાગૂ કરવા આગ્રહ કર્યો છે. આ આદેશ ખોટા છે. આ સંસ્થા દ્વારા લોકડાઉન લાગૂ કરવા માટે કોઈ આદેશ કે આગ્રહ કરવામાં આવ્યો નથી.