વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલા દાવો ખોટો છે. કોરોના વાયરસના કારણે WHOએ કોબીજને લઇને એવી કોઇ વાત નથી. અત્યાર સુધી કોઇ એવું રિસર્ચ અથવા પ્રમાણ પણ સામે આવ્યું નથી જે એવું કહે કે કોબી માં કોરોના વાયરસ સૌથી વધારે સુધી રહે છે.
દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ
વાયરસ મેસેજ પ્રમાણે કોબીમાં કોરોના વાયરસ વધારે સમય માટે રહે છે
વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલા દાવો ખોટો છે
કોરોના વાયરસથી બચવા માટે લોકો ઘરમાં બંધ છે. આવામાં ખબરોની જાણકારી માટે લોકો સોશ્યલ મીડિયાનો સહારો લઈ રહ્યાં છે. કોરોના વાયરસને લઈને જે પણ ખબર સામે આવે છે લોકો વૉટ્સઍપ દ્વારા પોતાના મિત્રો અને પરિજનોને ફોર્વર્ડ કરતા હોય છે. લોકો કોઈ પણ સત્યતા તે જાણકારી મેળવ્યા વિના જ આગળ મોકલતા હોય છે. WHOના નામે તેમ જ અન્ય સંસ્થાઓના નામે કેટલાંય રિપોર્ટ્સ અને મેસેજ વાયરલ થતાં રહેતા હોય છે.
આવા જ એક મેસેજમાં કહેવાયું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોબીમાં કોરોના વાયરસ સૌથી વધુ સમય સુધી રહેવાની વાત કહી છે. આવામાં કોબી નહીં ખાવાની સલાહ આપવામાં આવી રહી છે. જે વાત તદ્દન ખોટી છે.
વાયરલ મેસેજ શું છે?
બને તો કોબી ન ખાતા, હા તમે સાચું સાંભળ્યું. WHOના રિપોર્ટ અનુસાર કોબીના પડમાં કોરોના વાયરસ સૌથી વધુ સમય રહી શકે છે. જ્યાં બીજી જગ્યા પર વાયરસ 9 12 કલાક રહે છે ત્યાં કોબી પર આ વાયરસ 30 કલાકથી વધુ રહી શકે છે. તમામ શહેરના લોકોને નિવેદન છે કે કોબીથી દૂર રહો. જનહિતમાં જારી
नहीं | विश्व स्वास्थ्य संगठन द्वारा ऐसी कोई भी रिपोर्ट जारी नहीं की गई हैं | #Coronavirus पर भ्रामक जानकारी से भ्रमित न हों |
खुद को और अपने परिजनों को कोरोना वायरस से सुरक्षित रखने के लिए आपस में उचित दूरी बनाए रखें।
આ વાયરસ તદ્દન ખોટો છે. WHO એ આવી કોઈ વાત કહી જ નથી. ભારત સરકારના PIB (પ્રેસ ઈન્ફર્મેનશ બ્યુરો)એ પણ દાવાને ખોટો કહ્યો છે. જો કે WHO એ એવું જરૂર ક્હ્યું હતું કે કોબીને સારી રીતે પકવીને ખાવું જોઈએ. એટલે કોરોના વાયરસને અને કોબીને કોઈ લેવા દેવા નથી. કોરોનાથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા જ છે.