કોરોના વાયરસના કારણે દેશમાં દિવસેને દિવસે કેસ સતત વધતા જઈ રહ્યાં છે. કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન પણ વધારવાની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે જેટલી ઝડપથી આ વાયરસ ફેલાય છે તેટલી જ ઝડપથી ઈન્ટરનેટ પર ફેકન્યૂઝે માઝા મૂકી છે. કોરોનાને લઈને લોકોને ભડકાવવા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહી છે.
કોરોના વાયરસના કારણે હોટેલ બંધ રહેશે તેવા ફેકન્યૂઝ વાયરલ
પ્રસરા ભારતીએ આપી સ્પષ્ટતા
પ્રવાસન મંત્રાલય દ્વારા આવી કોઈ જ જાહેરાત કરાઈ નથી : PIB
કોરોના વાયરસના કારણે લોકડાઉન લંબાઈ જશે તે વિષય પર ઘણા બધા સમાચાર વહેતા થઇ રહ્યા છે. ભ્રામક સમાચારોને કારણે લોકોમાં અફરાતફરી પણ થઇ શકે છે ત્યારે હાલમાં હોટેલ અને રેસ્ટોરેન્ટને લઈને એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Reports claiming that hotels & restaurants will remain closed till Oct 15 owing to #COVID19 outbreak’ are wrong. The order circulating in social media in this regard is FAKE and has not been issued by the Tourism Ministry.
Govt has termed these reports as FAKE.
— Prasar Bharati News Services (@PBNS_India) April 8, 2020
આ ખબરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15મી ઓકટોબર સુધી હોટલ બંધ રાખવામાં આવશે.તથા એવું પણ કહેવામાં આવ્યું કે જે લોકો લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે તે લોકો માટે તો હોટેલ ખુલ્લી જ રહેશે. અને બીજા લોકોને હોમ ડીલીવરી આપવામાં આવશે. જે બાદ હવે તેના પર સ્પષ્ટતા બહારપાડવામાં આવી છે.
Be cautious of #Fake order claiming that hotels/resturants will remain closed till 15th October 2020 due to #Coronavirusoutbreak.#PIBFactCheck: The order is Fake and has NOT been issued by Ministry of Tourism.
પ્રસાર ભારતી દ્વારા ફેક્ટ ચેકમાં આ સમાચારને વખોડી કાઢવામાં આવ્યા છે. પ્રસાર ભારતીએ ટ્વીટ કરીને કહ્યું કે 15 ઓક્ટોબર સુધી હોટેલ બંધ રાખવાના સમાચાર તદ્દન ખોટા છે. પ્રવાસન મંત્રાલય દ્વારા આવી કોઈ જ જાહેરાત કરાઈ નથી તથા સોશિયલ મીડિયામાં વાયરલ ન્યૂઝ ફેક છે.