સોશિયલ મીડીયામાં કેડબરી ચોકલેટમાં બીફ હોય છે આ ચર્ચા છે.
કેડબરીમાં બીફ હોવાની ચર્ચાએ પકડી હવા
સોશિયલ મીડીયા પર લોકોએ કર્યો વિરોધ
આ મુદ્દા પર કંપનીએ આપ્યું મોટું નિવેદન
કેડબરી ચોકલેટનું નામ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. કોઈપણ પ્રસંગ કે જમ્યા પછી પણ આપણે અવારનવાર ચોકલેટ ખાઈએ છીએ પરંતુ સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં વેચાતી કેડબરીની ચોકલેટમાં ગૌમાંસની મિલાવટ કરવામાં આવે છે. ભારત દેશમાં કે જ્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે ત્યાં આવી વાત સાંભળીને લોકો ખૂબ જ રોષે ભરાયા છે પરંતુ આ વાતમાં સત્ય કેટલું છે તે મુદ્દા પર કેડબરીએ નિવેદન આપ્યું છે.
Those proud Hindus who love Cadbury chocolates this is for you. @amul can use it as stepping stone to increase their chocolate sales. Expose @CadburyWorldpic.twitter.com/6e41hTbQxu
સોશિયલ મીડિયા પર ફરતી થઈ તસ્વીરો
એક વેબસાઈટે દાવો કર્યો છે કે, જો કોઈપણ પ્રોડ્કટમાં જીલેટીન નામનો પદાર્થ હોય તો તેનો મતલબ તે પ્રોડ્કટને બનાવવામાં ગૌમાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વેબસાઈટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. વેબસાઇટ પર આપેલ સંદેશમાં ભારતના લોકોને કેડબરીનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ ખાતરીપૂર્વક નિવેદન પણ આપી દીધું છે કે ખરેખરમાં કેડબરીના પ્રોડક્ટસમાં ગૌમાંસની મિલાવટ કરવામાં આવે છે.
કંપનીએ આપ્યું મોટું નિવેદન
કંપનીએ આ મુદ્દા પર જણાવ્યું કે, સ્ક્રીનશોટમાં દર્શાવેલ એક પણ પ્રોડક્ટનું વેચાણ ભારતમાં કરવામાં આવતું નથી. કંપનીએ વધુમાં એ પણ જણાવ્યું કે, ભારતમાં વેચતા એક પણ પ્રોડ્કટમાં બીફ કે કોઈપણ પ્રકારના માંસનો ઉપયોગ કરવામાં આવતો નથી. કંપનીએ લોકોને ભડકાવે તેવા મેસેજને ફોરવર્ડ કરતાં પેહલા તથ્ય શું છે તેની ચકાસણી કરવાનો પણ આગ્રહ કર્યો છે.
અફવાઓમાં ધ્યાન ન આપવા કર્યો આગ્રહ
કંપનીએ ભારતના લોકોને આસ્વાસન આપવા વધુમાં જણાવ્યું કે, ચોકલેટના કાગળ ઉપર લીલા રંગનું નિશાન દર્શાવે છે કે, ભારતમાં વેચાતી તમામ પ્રોડક્ટ્સ 100% શાકાહારી છે.કંપનીએ કહ્યું કે, આવી નકારાત્મક અફવાઓના લીધે કેડબરી જેવી મોટી બ્રાન્ડનું નામ અને ગ્રાહકોનો કેડબરી પ્રત્યેનો વિશ્વાસ ઘટી જાય છે જેથી કેડબરીએ લોકોને સત્ય જાણ્યા વગર અફવાઓને ના ફેલાવવા માટે આગ્રહ કર્યો છે.