જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને જમીન અને જાયદાદના વિવાદોને ઘણા હદ સુધી દૂર કરવામાં આવી શકે છે. અમે તમને કંઈક એવા જ કારગર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જમીન પ્રોપર્ટી અંગે છે કોઈ વિવાદ?
તો આ ઉપાયોથી દૂર થશે સમસ્યા
જાણો જ્યોતિષ શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે
જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવા માટે લોકો અલગ અલગ પ્રયત્ન કરે છે. અમુક લોકો પોતાને સફળ ત્યારે માને છે જ્યારે તેમની પાસે તેમની પોતાની પ્રોપર્ટી હોય અથવા તો સારૂ ઘર હોય. ઘણા લોકો પોતાનું ઘર બનાવવામાં આખુ જીવન કાઢી નાખે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના સેફ ફ્યુચર માટે તેમની કોઈ જમીન કે જાયદાદ હોવી જોઈએ. ક્યારેક ક્યારેક તે જમીન જાયદાદને હાસીલ તો કરી દે છે પરંતુ તે વિવાદોમાં પણ ફસાઈ જાય છે.
આ વિવાદ ધીરે ધીરે એટલો વધી જાય છે કે પ્રભાવિત વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે પીડિત મહેસુસ કરે છે. વિવાદોમાં લોકોને કોર્ટના ચક્કર લગાવવા પડે છે અથવા તો મોટુ નુકસાન પણ ભોગવવું પડે છે. ઘણા પ્રયત્નો બાદ પણ વસ્તુઓ સારી નથી થઈ શકતી. તો એવામાં જ્યોતિષ શાસ્ત્રની મદદ લેવી યોગ્ય રહે છે.
ગાયને ગોળ ખવડાવો
હિન્દૂ ધર્મમાં ગાયની સેવા કરવી ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે. જમીન સાથે જોડાયેલા વિવાદને દૂર કરવા માટે તમારે દર રવિવારે ગાયને ગોળ ખવડાવવો જોઈએ. તેના માટે દર રવિવારે ગૌશાળા જાઓ અને અહીં લાલ ગાયને ગોળ ખવડાવો.
ગોળ ખવડાવતી વખતે મહત્વની વાત ધ્યાનમાં રાખો. ગાયને ગોળ ખવડાવતી વખતે તેની સામે તેને ફેંકો નહીં. જો તમને પોતાના હાથથી ખવડાવતા બીક લાગે છે તો તેને એક જગ્યા પર મુકીને ખવડાવી શકો છો.
ભોજનનું દાન
સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ દાન કરે છે તો તે પોતાનું પુણ્ય તો કમાય છે સાથે જ તે પોતાના પાપથી પણ મુક્તિ મેળવી શકે છે. જમીન પર ચાલી રહેલા વિવાદથી છુટકારો મેળવવા માટે તમે ભોજનનું દાન કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના માટે શુક્રવારે કોઈ ગરીબ અને જરૂરીયાતમંદને ભોજનનું દાન કરાવો. ગરીબ પાસેથી મળતી દુઆઓ તમારા દુખોને ઘણા હદ સુધી ઓછા કરી શકે છે.
માતા દુર્ગાને કરો પ્રસન્ન
જો તમારે જમીન ખરીદવામાં અથવા વેચવામાં કોઈ અન્ય મામલામાં સમસ્યા આવી રહી છે. તો તમારે માતા દુર્ગાની શરણમાં જવું જોઈએ. માતા દુર્ગા પ્રસન્ન થઈને તમારી મનોકામના પુરી કરશે.
જે લોકો જમીન સંબંધી વિવાદનો સામનો કરી રહ્યા છે તેમણે માતા દુર્ગાના મંત્રોનો જાપ કરવો જોઈએ. માતાની પૂજા કરતી વખતે તેમની સામે પોતાની સમસ્યાની વાત કરો. આમ કરવાથી બની શકે છે કે તમારો જમીન વિવાદ દૂર થાય.
હનુમાનની પૂજા
સંકટોને દૂર કરવા માટે હનુમાનજીની ઉપાસના કરીને પણ તમે પોતાની આ સમસ્યાને દૂર કરી શકો છો. દર મંગળવારના દિવસે તમારે મંદિર જઈને અમુક ઉપાય કરવાના રહેશે. તેના માટે મંગળવારે મંદિર જાઓ અને અહીં હનુમાનજીની પૂજા કરો અને તે વખતે હનુમાન ચાલિસાના પાઠ કરો. બની શકે તો હનુમાનજીને પાળુ સિંદૂર ચઢાવો અને તેમને ભોગ લગાવીને ગરીબોમાં સામગ્રાનું દાન કરો.