ભારતના રાજકારણમાં રાજકીય પક્ષપાતના આરોપોથી ઘેરાયેલા ફેસબુકે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના પ્રશ્નોના જવાબો આપતા કહ્યું છે કે ''તેઓ એક નિષ્પક્ષ મંચ છે અને તમામ પ્રકારના કટ્ટરતા અને તિરસ્કારને નકારે છે.તે એક પ્લેટફોર્મ બનવાનો પ્રયત્ન કરે છે જ્યાં લોકો તેમની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે."
રાજકીય પક્ષપાતને લગતા આરોપોથી ઘેરાયેલ છે ફેસબુક
ભારતની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કર્યા હતા ગંભીર આક્ષેપો
કોંગ્રેસે પૂછેલા પ્રશ્નોના ફેસબુકે આપ્યા છે જવાબો
કોંગ્રેસ ઊઠવેલા સવાલોના જવાબમાં ફેસબુકે એક પત્ર જાહેર કરીને કહ્યું છે કે તે ઉચ્ચતમ સ્તરની પ્રામાણિકતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ફેસબુકના પબ્લિક પોલિસી, ટ્રસ્ટ અને સિક્યુરિટી વિભાગના ડિરેક્ટર નીલ પોટ્સે પત્રમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીએ કોંગ્રેસના આરોપોને ગંભીરતાથી લીધા છે. ફેસબુકે કહ્યું છે કે તે ભવિષ્યમાં પણ ન્યાયી રહેવાની ખાતરી સુનિશ્ચિત કરશે.
કોંગ્રેસે લખ્યો હતો ઝુકરબર્ગને પત્ર
નોંધનીય છે કે કોંગ્રેસે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે ફેસબુકની ભારતીય શાખા દેશની લોકશાહી પ્રક્રિયા અને સામાજિક માળખામાં માં દખલ દઈ રહી છે. કોંગ્રેસે ફેસબુક પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે હેટ સ્પીચનાં નિયમોના સંદર્ભમાં સત્તાધારી ભાજપનાં સભ્યો પ્રત્યે ફેસબુક નું વલણ નરમ છે.
રાહુલ ગાંધીએ અખબારી અહેવાલને ટાંકીને કરી હતી ટ્વિટ
ભૂતકાળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને ટાંકીને સરકાર અને ફેસબુક પર હુમલો કર્યો હતો. પાછળથી કોંગ્રેસે ઝુકરબર્ગને લખેલા પત્રમાં ફેસબુક પર ભાજપ સાથે પક્ષપાત અને નિકટતા હોવાનો આક્ષેપ કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ સતત ફેસબુક વતી કથિત ભેદભાવનો મુદ્દો ઉઠાવી રહી છે અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે.
બીજી તરફ, કેન્દ્રીય કાયદા અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ એ પણ ઝુકરબર્ગને ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે ફેસબુકના કર્મચારીઓ તે લોકોનું સમર્થન કરી રહ્યા છે જેઓ ચૂંટણીમાં સતત હારી ગયા છે. તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે ફેસબુક ઇન્ડિયા ટીમમાં બેઠેલા લોકો ફરિયાદો હોવા છતાં જવાબ આપતા નથી.