ફેસબુક યુઝરે જો સેટિંગ ઓફ રાખ્યાં હશે તો પણ યુઝરના લોકેશન અંગે જાણ થઇ જશે. ફેસબુકે અમેરિકી સેનેટરની સામે આ વાત સ્વીકારી છે. સેનેટર ક્રિસ્ટોફર એ. કુન્સ અને જોશ હાવલેને મોકલેલો પત્ર હવે ટ્વિટર પર વાઈરલ થઇ ગયો છે. ફેસબુકના ડેપ્યુટી ચીફ પ્રાઇવસી ઓફિસર રોબ શેરમાને તેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે યુઝર પોતાના એકાઉન્ટનું ટ્રેકિંગ સર્વિસ ઓફ કરી દે તો પણ તેના લોકેશનની જાણ થઇ શકે છે.
ફેસબુક યુઝરે જો સેટિંગ ઓફ રાખ્યાં હશે તો પણ યુઝરના લોકેશન અંગે જાણ થઇ જશે
યુઝર પોતાના એકાઉન્ટનું ટ્રેકિંગ સર્વિસ ઓફ કરી દે તો પણ તેના લોકેશનની જાણ થઇ શકે
જે સિસ્ટમથી યુઝરે ફેસબુક યુઝ કર્યું હોય ત્યાંનું આઇપી એડ્રેસ પણ તેનું લોકેશન જણાવી દે છે
ફેસબુકે આ જાણકારી બે સેનેટર દ્વારા માગેલી જાણકારી બાદ આપી છે. તેમણે તર્ક આપ્યો છે કે કોઇ પણ વ્યક્તિના લોકેશનની જાણકારીના ઘણા ફાયદા થઇ શકે છે, જેમાં એડ્ બતાવવાથી લઇને હેકર્સ સામે લડવા અને ખોટી જાણકારી સામે લડવા જેવી બાબતો સામેલ છે. ફેસબુકનું કહેવું છે કે તેના યુઝરના લોકેશનની જાણકારી એ વસ્તુઓથી મળી જાય છે, જેમાં તે ટેગ થાય છે અથવા તો પોતાની ચેક ઇન ડિટેઇલ પેજ પર શેર કરે છે અથવા પછી મિત્રો સાથે ક્યાંક ડિનર પર જાય છે. યુઝર ફેસબુકના શોપિંગ સેક્શનમાં પોતાની ખરીદી માટે એડ્રેસ શેર કરે છે.
જે સિસ્ટમથી યુઝરે ફેસબુક યુઝ કર્યું હોય ત્યાંનું આઇપી એડ્રેસ પણ તેનું લોકેશન જણાવી દે છે. ફેસબુકનું આ નિવેદન જારી થયા બાદ એક વાર ફરી પ્રાઇવસી પર સવાલ ઊઠ્યા છે.