અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જનરલની એક રિપોર્ટ પર ભારતમાં વિવાદ વકરી રહ્યો છે. સોશિયલ મીડિયાની દુનિયામાં જંગ છેડાઈ ગઈ છે. આ રિપોર્ટને ટાંકતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ફેસબુક અને વોટ્સએપને નિયંત્રિત કરી છે. આ લોકો આના માધ્યમથી નફરત ફેલાવે છે. ત્યારે ભાજપના નેતા તથા સંચાર, ઈલેક્ટ્રિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો છે. વિવાદ એટલો વકર્યો કે ફેસબુકે જવાબ આપવો પડ્યો.
કોંગ્રેસે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકની સેવાઓ નથી લીધી : કોંગ્રેસ
ભાજપ કેમ્બ્રિજની ક્લાયન્ટ કરી છે. કાયદા મંત્રી આ કેમ નથી જણાવતા : કોંગ્રેસ
વિવાદ એટલો વકર્યો કે ફેસબુકે જવાબ આપવો પડ્યો
રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ અને રવિશંકરનો જવાબ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે એક અમેરિકન અખબારના અહેવાલમાં ટાંકીને આક્ષેપ કર્યો છે કે, BJP-RSSનો ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર નિયંત્રણ છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. આજે રાહુલ ગાંધીએ કરેલા પ્રહારનો જવાબ વાળતા રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યું હતું કે, ''જે લોકો પોતાની પાર્ટી ઉપર પ્રભાવ પણ નથી ધરાવતા તેઓ કહેતા ફરે છે કે આખી દુનિયા ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે.'' રવિશંકર પ્રસાદે વધુમાં લખ્યું છે કે, 'ચૂંટણી પહેલાં ડેટાને શસ્ત્રસજ્જ બનાવવા માટે તમે કેમ્બ્રિજ એનાલિટિકા અને ફેસબુક સાથે જોડાણમાં લાલ હાથે પકડાયા હતા અને હવે અમને સવાલો પૂછે છો?'
Losers who cannot influence people even in their own party keep cribbing that the entire world is controlled by BJP & RSS.
You were caught red-handed in alliance with Cambridge Analytica & Facebook to weaponise data before the elections & now have the gall to question us? https://t.co/NloUF2WZVY
રવિશંકરની ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે,‘એવું લાગે છે કે જુઠ્ઠા ટ્વીટ અને જૂઠ્ઠો એજન્ડા એક માત્ર રસ્તો બની ગયો છે. કોંગ્રેસે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકની સેવાઓ નથી લીધી’તેમણે કહ્યું કે ભાજપ કેમ્બ્રિજની ક્લાયન્ટ કરી છે. કાયદા મંત્રી આ કેમ નથી જણાવતા.
ભારતમાં ફક્ત કોંગ્રેસ અને ભાજપનુ રાજકારણ જ નથી ગરમાયુ પણ રાજનૈતિક પાર્ટીએ ફેસબુકની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહે કહ્યું કે માર્ક ઝુકરબર્ગ કૃપા આના પર વાત કરે. પ્રધાનમંત્રી મોદીના સમર્થક અંખી દાસને ફેસબુકમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જે ખુશી ખુશી મુસ્લિમ વિરોધી પોસ્ટને સોશિયલ મીડિયા પર અપ્રુવ કરે છે. તમને સાબિત કર્યુ કે તમે ઉપદેશ આપો છો તેનું પાલન નથી કરતા.
ત્યારે એઆઈએમઆઈએમ નાતા અસદુદ્દીન ઓવૈસીએ ફેસબુક પર સવાલ ઉઠાવ્યા હતા કે અલગ અલગ લોકતંત્રમાં ફેસબુકના અલગ અલગ માપદંડો કેમ છે. આ કેવા પ્રકારનું નિષ્પક્ષ મંચ છે? ઓવૈસીએ ફેસબુક પર સવાલો ઉઠાવ્યા છે. આ રિપોર્ટ ભાજપ માટે નુકસાન કારક છે. ભાજપના ફેસબુક સાથેના સંબંધો અંગે ખુલાસો થયો છે અને ફેસબુક કર્મચારીઓ પર ભાજપના અંકુશનું રુપ સામે આવ્યું છે.
ફેસબુકે આપી સફાઈ
ભારતમાં ઉઠેલા સવાલેની વચ્ચે ફેસબુકે રવિવારે કહ્યું કે અમે હેટ સ્પીચ અને એવી સામગ્રીઓ પર પ્રતિબંધ લગાવીએ છીએ જે હિંસા ભડકાવે છે. અમે આ નીતિ વૈશ્વિક સ્તર પર અમલમાં મુકીએ છીએ. અમે કોઈ પણ રાજનીતિક સ્થિતિ અથવા જે પણ પાર્ટી સાથે નેતા સંબંધ ધરાવે એ પણ નથી જોતા. ફેસબુક પ્રવક્તાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં હેટ સ્પીચ અને ભડકાઉ કન્ટેન્ટને રોકવા માટે વધારે કામ કરવાની જરુર છે. અમે આગળ વધી રહ્યા છીએ. નિષ્પક્ષતા અને સટીકતાને સુનિશ્ચિત કરવા માટે અમે અમારી પ્રક્રિયાને નિયમિત રીતે ઓડિટ કરીએ છીએ.
રિપોર્ટમાં એવું તો શું છે, જેનાથી વિવાદ થયો
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં ફેસબુક હેટ સ્પીચ રુલ્સ કોલાઈડ વિથ ઈન્ડિયા પોલિટિક્સ’ હેડિંગ સાથે એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેનાથી વિવાદ ઉભો થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના ઉશ્કેરણીજનક ભાષણોના મામલાના નિયમોમાં ઢીલ આપે છે. ફેસબુક કર્મચારીએ કહ્યું કે ભારતમાં એવા અનેક લોકો છે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા કરે છે.
તેલંગાણાના ભાજપના સાંસદ ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુસ્લિમોની વિરુદ્ધ વકાલત કરવામાં આવી છે. ફેસબુકના કર્મચારીઓએ કહ્યું કે તેમણે આ પોસ્ટની કંપનીના નિયમો વિરુદ્ધ ગઈ ફરિયાદ કરી હતી. જો કે ભારતમાં ટોપ લેવલ પર બેઠેલા અધિકારીઓએ તેના પર કોઈ પગલા ભર્યા નહોતા.
આવું પહેલી વાર થયું નથી. આ પહેલા ફેસબુકે નેટવર્ક અને ડેટાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીને પ્રમોટ કરવા માટે કર્યો હતો.