રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યવાહી તેજ કરી દીધી છે. તેઓએ ફેસબુક અને ટ્વિટર તેમજ સાથે-સાથે યુટ્યુબ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એ માટે એક બિલ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુતિનની મોટી કાર્યવાહી
ફેસબુક-ટ્વિટર અને યુટ્યુ પર લગાવ્યો પ્રતિબંધ
"ખોટી" માહિતી ફેલાવવા બદલ વ્યક્તિને થઈ શકે છે 15 વર્ષ સુધીની જેલ
આ કાયદા હેઠળ દેશના સશસ્ત્ર દળો વિશે "ખોટી" માહિતી ફેલાવવા બદલ વ્યક્તિને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. શુક્રવારે સોશિયલ મીડિયા દિગ્ગજો સામેના પગલા સાથે બીબીસી, યુએસ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ વોઈસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી, જર્મન બ્રોડકાસ્ટર ડોયચે વેલે અને લાતવિયા આધારિત વેબસાઈટ મેડુઝાને પણ બ્લોક કરી દેવાઇ હતી.
યુક્રેન પરના એટેક વિશે સ્થાનિક પ્રેક્ષકોને ખોટી સૂચના અપાઇ રહી છે
રશિયન ભાષામાં સમાચાર પ્રકાશિત કરનારા વિદેશી આઉટલેટ્સ પર સરકારની મોટા પાયાની કાર્યવાહીથી પુતિનનું વલણ સ્પષ્ટ થઈ ગયું છે. રશિયા સતત એ વાતનો આરોપ લગાવી રહ્યું છે કે યુક્રેન પરના એટેક વિશે સ્થાનિક પ્રેક્ષકોને ખોટી સૂચના આપવામાં આવી રહી છે.
રશિયન કોમ્યુનિકેશન વોચડોગ Roskomnadzor એ જણાવ્યું કે, સરકાર દ્વારા પ્રાપ્ત એક નિર્ણયના અનુરૂપ Twitter અને Facebook પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ટ્વિટર પર રશિયન સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહેવાનો પણ આરોપ મૂકાયો હતો. વળતા કાર્યવાહીના જવાબમાં, ઘણાં આઉટલેટ્સે જણાવ્યું હતું કે, તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રશિયાની અંદર પોતાની કામગીરીને રોકી દે.
રશિયન અધિકારીઓએ યુક્રેનમાં રશિયન લશ્કરીની નિષ્ફળતા અથવા તો નાગરિકના મોતના અહેવાલોને નકલી ગણાવી આવાં સમાચારોને વારંવાર ફગાવી દીધાં છે. રાજ્યના મીડિયા આઉટલેટ્સ રશિયાના યુક્રેન પરના યુદ્ધને યુદ્ધ અથવા આક્રમણને બદલે "ખાસ લશ્કરી કાર્યવાહી" ના રૂપમાં દર્શાવે છે. સંસદના નીચલા ગૃહના સ્પીકર વ્યાચેસ્લાવ વોલોડિનએ જણાવ્યું હતું કે, તાજેતરની કાર્યવાહી એવાં લોકોને મજબૂર કરશે કે જેઓએ જૂઠું બોલ્યું છે અને આપણાં સશસ્ત્ર દળોને બદનામ કરવા માટે ગંભીર આરોપ લગાવ્યાં છે.' તેમણે ઉમેર્યું કે, "હું ઈચ્છું છું કે, દરેક વ્યક્તિ એવું સમજે કે અમે આપણા સૈનિકો અને અધિકારીઓની રક્ષા માટે આવું કરી રહ્યાં છીએ."
એક ન્યુઝ ચેનલે રશિયામાં પોતાના પત્રકારોના કામકાજ પર લગાવ્યો કામચલાઉ પ્રતિબંધ
એક ન્યુઝ ચેનલે શુક્રવારના રોજ જણાવ્યું કે, 'રશિયાનો એક નવો કાયદો લાવ્યા બાદ તેની પાસે રશિયામાં અમારા પત્રકારોના કામકાજને અસ્થાયી રૂપે સ્થગિત કરવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.' ન્યુઝ ચેનલના મહાનિર્દેશકે જણાવ્યું કે, 'આ કાયદો સ્વતંત્ર પત્રકારત્વની પ્રક્રિયાને ગુનાહિત બનાવતી જણાય છે અને સ્ટાફની સલામતી એ "સર્વોપરી" છે.