ફેસબુક પર અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી વિશ્વાસઘાત કરનાર મુંબઇના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ફેસબુક પર યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી વિશ્વાસઘાત કર્યો
મને ભૂલી જા, મારી સગાઈ થઈ ગઈ છે: યુવક
ફેસબુકનો પ્રેમ પોલીસ સ્ટેશને પહોંચ્યો
મંદિરમાં લગ્ન કરી લીધા બાદ મેરેજ સિર્ટિફકેટ કઢાવવા યુવક ગલ્લાંતલ્લાં કરતો હતો, પરંતુ યુવકનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે તેણે યુવતીને કહ્યું કે મને ભૂલી જા, મારી બીજી જગ્યા પર સગાઇ થઇ ગઇ છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય સુનીતા દત્તે મુંબઇમાં રહેતા શ્યામ દંતાણી અને તેના પિતા રમેશભાઇ દંતાણી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ તેમજ છેતરિપંડી અને ધાકધમકીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે વર્ષ 2018માં સુનીતાનો પરિચય ફેસબુક પર મુંબઇમાં રહેતા શ્યામ દંતાણી સાથે થયો હતો. બંને જણા ફેસબુક પર ચેટિંગ કરતાં હતાં ત્યારે એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. શાહપુરના નાગોરીવાડમાં કોઇનું મરણ થઇ ગયું હોવાના કારણે શ્યામ, તેના પિતા અને બહેન વિદ્યા અમદાવાદ આવ્યા હતા અને બે દિવસ સુનીતાના ઘરે રોકાયા હતા. મરણ પ્રસંગ પતાવીને શ્યામ અને તેનો પરિવાર પરત મુંબઇ જતો રહ્યો હતો ત્યારે સુનીતા સાથે ટેલિફોનિક લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ શ્યામ અને તેના પિતાએ મૂક્યો હતો.
મને ભૂલી જા, મારી સગાઈ થઈ ગઈ છે: યુવક
સુનીતાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં તમામ લોકો અમદાવાદ આવ્યા હતા અને ચાંદખેડા મહાદેવના મંદિરમાં જઇને ફૂલહાર કર્યા હતા. લગ્ન બાદ બંને ઓગણજ ખાતેની હોટલમાં રોકાયાં હતાં અને ત્યારબાદ થોડાક દિવસ અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર રોકાયાં હતાં. શ્યામને મુંબઇ જવાનું હોવાથી સુનીતા તેને રેલવે સ્ટેશન પર મૂકવા માટે ગઇ હતી. લગ્ન બાદ સુનીતાએ લગ્નના સિર્ટિફકેટ માટેની નોંધણી કરાવવા માટે શ્યામને કહ્યું હતું, પરંતુ યેનકેન રીતે તે વાતને ટાળતો હતો. ડિસેમ્બર 2019માં શ્યામ અમદાવાદમાં આવ્યો હતો અને સુનીતાને રિવરફ્રન્ટ પર લઇ ગયો હતો અને કહ્યું હતું કે તું મને ભૂલી જા, મારી બીજે સગાઇ નક્કી થઇ ગઇ છે.
શ્યામે સુનીતાને નહીં અપનાવતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ
શ્યામ પરત મુંબઇ જતો રહ્યો હતો, જેને મળવા માટે સુનીતા અને તેના પિતા ગયા હતા, જ્યાં તેમની સાથે શ્યામ અને રમેશભાઇએ મારઝૂડ કરીને કાઢી મૂક્યાં હતાં, જેની ફરિયાદ સુનીતાએ મુંબઇમાં કરી હતી. અનેક વખત સમજાવ્યા બાદ પણ શ્યામે સુનીતાને નહીં અપનાવતાં અંતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ કરી છે.