ફેસબુક હેટ સ્પીચના મુદ્દા પર ક્રોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કરી રહી છે. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે ભાજપના નેતા ખોટી જાણકારી અને નફરત ફેલાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ફેસબુકન અધિકારીઓ સાથે સાંઠગાંઠ પણ કરી છે. જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ બની રહે.
પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે ...
ભાજપના નેતા ખોટી જાણકારી અને નફરત ફેલાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે
ભાજપે ફેસબુકન અધિકારીઓ સાથે સાંઠગાંઠ પણ કરી છે
પ્રિયંકા ગાંધીએ ભાજપના નેતા પર ઉશ્કેરણીજનક પોસ્ટ પર ફેસબુક તરફથી એક્શન ન લેવા પર એક રિપોર્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યુ છે કે ભારતના મોટાભાગના મીડિયા ચેનલ બાદ હવે સોશિયલ મીડિયાનો વારો છે. ભાજપ નફરત અને દુષ્પ્રચાર ફેલાવવા માટે દરેક પ્રકારના પેંતરા અપનાવતી રહી છે અને હજુ પણ અપનાવતી રહેશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ફેસબુક જે સામાન્ય વ્યક્તિની અભિવ્યક્તિનું સરળ માધ્યમ છે. જેનો ઉપયોગ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ભ્રામક માહિતી આપવા માટે અને નફરત ફેલાવવા માટે કર્યો છે. એટલું જ નહીં ફેસબુક કોઈ કાર્યવાહી ન કરી શકે તે માટે ભાજપે ફેસબુકના અધિકારીઓની સાંઠગાઠ પણ કરી જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ બની રહે.
આ સમગ્ર મામલા પર કોંગ્રેસ સાંસદ શશી થરુરે ટ્વીટ કરી કહ્યું કે ઈન્ફરમેશન ટેક્નોલોજી પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ શશી થરુરે કહ્યું કે, ઈન્ફરમેશન ટેક્નોલોજી પર સંસદીય સ્થાયી સમિતિ આ રિપોર્ટો વિશે ફેસબુકને સાંભળવા માંગે છે અને ભારતમાં હેટ સ્પીચ વિશે તેઓ શું કરવું તેનો પ્રસ્તાવ મુકવા માંગે છે.
શું છે વિવાદ
વોલ સ્ટ્રીટ જનરલમાં એક રિપોર્ટ પ્રકાસિત થયો હતો. જેમાં ભાજપના નેતા ટી. રાજાએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતું કે રોહિંગ્યા મુસલમાનોને ગોળી મારી હત્યા કરી દેવી જોઈએ. મુસ્લિમોને દેશદ્રોહી ગણાવ્યા હતા અને મસ્જિદને પાડવાની ધમકી આપી હતી. જેને પગલે એક ફેસબુકની મહિલા કર્મચારીએ વિરોધ કર્યો હતો. જેણે આ કંપનીના નિયમો વિરુદ્ધ ગણાવ્યું પણ ફેસબુકે કોઈ પગલા ન ભર્યા નહોતા.