ફેસબુકના વિવાદ પર દેશનું રાજકારણ ગરમાયુ છે. આટલે આ વાત અટકતી નથી. આ વિવાદમાં ફેસબુકની વિશ્વસનીયતા અને તેની નિષ્પક્ષતા પર પણ આંગળી ચિંધાઈ રહી છે. ત્યારે ફેસબુકે એક કાર્યવાહી કરી છે. જેમાં તેમણે હિંસાત્મક પોસ્ટ કરનારા 800 ગ્રુપને પ્લેટફોર્મ પરથી હટાવ્યા છે.
હિંસક પોસ્ટ કરનારાઓ સામે ફેસબુકની કાર્યવાહી
હિંસક કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા 800 જેટલા ગૃપ હટાવ્યા
ફેસબુકનું હિંસક પોસ્ટ કરનારા ગૃપ મુદ્દે ખુલાસો
અમારા પ્લેટફોર્મનો ઉપયોગ હિંસાત્મક કે ઉશ્કેરણીજનક પ્રવૃતિ માટે નહીં થવા દઈએ
Facebook had removed nearly 800 QAnon conspiracy groups for posts celebrating violence, showing intent to use weapons, or attracting followers with patterns of violent behavior: Reuters pic.twitter.com/dL9WnKtiBf
ફેસબુકે હિંસક પોસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. હિંસક કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા 800 જેટલા ગૃપ હટાવ્યા છે. ફેસબુકે હિંસક પોસ્ટ કરનારા ગૃપ મુદ્દે ખુલાસો કર્યો છે. ફેસબુકે કહ્યું છે કે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ હિંસાત્મક કે ઉશ્કેરણીજનક પ્રવૃતિ માટે નહીં થવા દઈએ.
રિપોર્ટમાં એવું તો શું છે, જેનાથી વિવાદ થયો
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં ફેસબુક હેટ સ્પીચ રુલ્સ કોલાઈડ વિથ ઈન્ડિયા પોલિટિક્સ’ હેડિંગ સાથે એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેનાથી વિવાદ ઉભો થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના ઉશ્કેરણીજનક ભાષણોના મામલાના નિયમોમાં ઢીલ આપે છે. ફેસબુક કર્મચારીએ કહ્યું કે ભારતમાં એવા અનેક લોકો છે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા કરે છે.
તેલંગાણાના ભાજપના સાંસદ ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુસ્લિમોની વિરુદ્ધ વકાલત કરવામાં આવી છે. ફેસબુકના કર્મચારીઓએ કહ્યું કે તેમણે આ પોસ્ટની કંપનીના નિયમો વિરુદ્ધ ગઈ ફરિયાદ કરી હતી. જો કે ભારતમાં ટોપ લેવલ પર બેઠેલા અધિકારીઓએ તેના પર કોઈ પગલા ભર્યા નહોતા. આવું પહેલી વાર થયું નથી. આ પહેલા ફેસબુકે નેટવર્ક અને ડેટાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીને પ્રમોટ કરવા માટે કર્યો હતો.