ભારતની રાજનીતિમાં ફેસબુકની અસર અને તેની પોલીસીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વધુ નવી જાણકારી સામે આવી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે ફરી એકવાર ફેસબુકની સીનિયર અધિકારી અંખી દાસ સાથે જોડાયેલા કેટલાક મહત્વના દાવા કરવામાં આવ્યા છે. તેમા જણાવવામાં આવ્યું છે કે અંખી દાસે ચૂંટણીમાં કોંગ્રેસની હારને 30 વર્ષની જમીન પરની મહેનત બાદ મુક્તિ ગણાવતા એક અલગ અંદાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. સાથે ચૂંટણી કેમ્પેઈનમાં પણ તેમની ભૂમિકાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અખબારમાં વધું એક દાવો કર્યો
બીજી પોસ્ટના આધારે નવી જાણકારી સામે રાખી છે
2012માં ગુજરાતમાં ભાજપ માટે ફેસબુકના માધ્યમથી લોકો સુધી જવાનું કહેવાયુ
અંખી દાસે ફેસબુકની ઈન્ડિયા પોલિસીના હેટ પણ છે. અને હાલમાં વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અખબારમાં એક દાવો કર્યો હતો કે કેવી રીતે ભાજપ સાથે જોડાયેલી હેટ સ્પીચ પર ફેસબુક બેવડા માપદંડ અપનાવ્યા છે. એમ કહેવામાં આવ્યું કે અંખી દાસે ભાજપ સાથે જોડાયેલા નેતાઓની હેટ સ્પીચ પર બેન લગાવવાનો વિરોધ કર્યો હતો. આ કાણે ભારતનું રાજકારણ ગરમાયું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ફેસબુક-વોટ્સએપ પર ભાજપ અને આરએસએસનો કબ્જો હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ તેનો ઉપયોગ નફરત ફેલાવવા કરે છે.
આ વિવાદની વચ્ચે હવે વોલ સ્ટ્રીટ જર્નલે ફરી એક વાર અંખી દાસ દ્વારા લખવામાં આવેલી બીજી પોસ્ટના આધારે નવી જાણકારી સામે રાખી છે.
શું છે નવો દાવો
અંખી દાસે ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર લખ્યું કે ‘આખરે, 30 વર્ષના જમીન પરની કામગીરીથી ભારતને સ્ટેટ સોશલિજ્મથી મુક્તિ મળી ગઈ’ ત્યારે બીજી તરફ જીત માટે નરેન્દ્ર મોદીને સ્ટ્રોંગમેન ગણાવવામાં આવ્યા.
આ પ્રકારની અંખી દાસની પોસ્ટ 2012થી 2014ની વચ્ચે દર્શાવવામાં આવી છે જે ભારતમાં કામ કરનારા ફેસબુક ટીમના ગ્રુપને મોકલવામાં આવી. જોકે આ પોસ્ટ કોઈ પણ જોઈ શકતુ હતુ. કેટલાક કર્મચારીઓએ તેમની આ પોસ્ટને કંપનીની નિષ્પક્ષતાની પોલીસી વિરોધી ગણાવી હતી.
ફેસબુકે અંખી દાસનો બચાવ કર્યો અને કહ્યું કે તેમને અનુચિત પક્ષપાત નથી બતાવ્યો. ફેસબુકના પ્રવક્ત એન્ડી સ્ટોને કહ્યું કે , ‘પોસ્ટનો ખોટો સંદર્ભ સમજવામાં આવ્યો છે. કંપની તરફથી એમ પણ કહેવામાં આવ્યુ કે કંપની મુસ્લિમ વિરોધી કટ્ટરતાની વિરુદ્ધ છે.
જર્નલમાં એપણ લખવમાં આવ્યું કે અંખી દાસે 2011માં ફેસબુક જોઈન કર્યુ. તે સમયે ફેસબુક રાજનીતિની દુનિયામાં પોતાની દખલગીરી વધારી રહ્યુ છે. આ દરમિયાન ભારતની અનેક પાર્ટીઓને ફેસબુકનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું. 2012માં ગુજરાતમાં ભાજપ માટે ફેસબુકના માધ્યમથી લોકોના ઘર સુધી જવાનું કહેવામાં આવ્યું. જ્યારે ભાજપ જીત્યા અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે અંખી દાસે લખ્યું કે આપણા ગુજરાત કેમ્પેઈનની સફળતા’. આ બાદ મોદી અને ભાજપ માટે કેન્દ્રની 2014ની ચૂંટણી માટે કેમ્પેઈન ચલાવ્યુ.
એટલું જ નહીં અંખી દાસે વકિલાત કરી કે ભાજપ સાથે કામ કરીને ફેસબુકને વધારે ફાયદો થઈ રહ્યો છે. એટલું જ નહી 2014ના ચૂંટણી રિઝલ્ટ અંગે અંખી દાસે પોતાના એક સહયોગી સાથે ભાજપની જીત વિશે વાત પણ કરી હતી.