સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે ભારતમાં સામાન્ય ચૂંટણી પહેલા એક મોટું પગલું ભર્યું છે. ફેસબુકે દાવો કર્યો છે કે એને કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના સૈન્ય કર્મચારીઓથી જોડાયેલા પેજને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી તરફથી આ પેજ હટાવ્યા હોવાની જાણકારી આપવામાં આવી છે.
ફેસબુકે કહ્યું કે એને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલા 687 પેજ અને અકાઉન્ટ હટાવવામાં આવ્યા છે. ફેસબુકે કહ્યું કે એને પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગથી જોડાયેલા 103 અકાઉન્ટ્સ પણ ડિલીટ કરી દીધા છે.
જણાવી એ કે પહેલી વખત ફેસબુકે કોઇ મોટી રાજકીય પાર્ટીથી જોડાયેલા પેજો હટાવ્યા છે. પોતાના આ કાર્યવાહી પર ફેસબુકે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ પેજોને એમાં પ્રકાશિત સામગ્રીની જગ્યાએ એમના અપ્રમાણિક જાણકારીના કારણે ડિલીટ કરી દેવામાં આવ્યા છે.
ફેસબુકે જણાવ્યું કે એને પોતાના તપાસમાં જાણ્યું કે લોકોએ ફેક અકાઉન્ટ્સ બનાવ્યા અને અલગ અલગ ગ્રુપ્સથી જોડીને કન્ટેન્ટ ફેલાયો અને એના દ્વારા લોકો દ્વારા સંપર્ક વધારવાનું કામ કર્યું. ફેસબુકે કહ્યું કે આ ફેંક પેજોમાં સ્થાનિક સમાચાર ઉપરાંત વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા પણ કરવામાં આવે છે.
Manish Tewari, Congress on 'Facebook says removing 687 pages, accounts linked to Congress party ahead of polls': We don’t react to news reports which may just be coming in, we will have to check veracity of the report whether there are any Facebook pages which are linked to us... https://t.co/N2pUoD9Dti
કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે, 'જે ન્યૂઝ રિપોર્ટ આવી રહ્યો છે, અમે એની પર પ્રતિક્રિયા આપવા ઇચ્છતા નથી. અમારે એની તપાસ કરવી પડશે કે શું એ ફેસબુક પેજ અમારી સાથે લિંક્ડ હતા અને ત્યારબાદ જ અમે ટિપ્પણી કરીશું. '