ફેસબુક હેટ સ્પીચ વિવાદ બાદ શશિ થરુરના નિવેદનને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે. હકિકતમાં માહિતી અને ટેક્નોલોજીની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષતા કરનાર કોંગ્રેસ નેતા શશિ થરુરે આ મામલામાં ફેસબુક પાસે જવાબ માંગ્યો હતો.
વિવાદ બાદ શશિ થરુરના નિવેદનને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે
શશિ થરુરે ફેસબુક પાસે જવાબ માંગ્યો હતો
વર્ષની શરુઆતમાં જ એજન્ડા આઈટમને લઈને સહમતિ બની ગઈ હતી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે એક અમેરિકન અખબારના અહેવાલમાં ટાંકીને આક્ષેપ કર્યો છે કે, BJP-RSSનો ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર નિયંત્રણ છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. આજે રાહુલ ગાંધીએ કરેલા પ્રહારનો જવાબ વાળતા રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યું હતું કે, ''જે લોકો પોતાની પાર્ટી ઉપર પ્રભાવ પણ નથી ધરાવતા તેઓ કહેતા ફરે છે કે આખી દુનિયા ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે.'' રવિશંકર પ્રસાદે વધુમાં લખ્યું છે કે, 'ચૂંટણી પહેલાં ડેટાને શસ્ત્રસજ્જ બનાવવા માટે તમે કેમ્બ્રિજ એનાલિટિકા અને ફેસબુક સાથે જોડાણમાં લાલ હાથે પકડાયા હતા અને હવે અમને સવાલો પૂછે છો?'
રવિશંકરની ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે,‘એવું લાગે છે કે જુઠ્ઠા ટ્વીટ અને જૂઠ્ઠો એજન્ડા એક માત્ર રસ્તો બની ગયો છે. કોંગ્રેસે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકની સેવાઓ નથી લીધી’તેમણે કહ્યું કે ભાજપ કેમ્બ્રિજની ક્લાયન્ટ કરી છે. કાયદા મંત્રી આ કેમ નથી જણાવતા.
શશિ થરુરે ફેસબુક પાસે જવાબ માંગ્યો હતો
આ સમગ્ર મામલા પર કોંગ્રેસ સાંસદ શશી થરુરે ટ્વીટ કરી કહ્યું કે ઈન્ફરમેશન ટેક્નોલોજી પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ શશી થરુરે કહ્યું કે, ઈન્ફરમેશન ટેક્નોલોજી પર સંસદીય સ્થાયી સમિતિ આ રિપોર્ટો વિશે ફેસબુકને સાંભળવા માંગે છે અને ભારતમાં હેટ સ્પીચ વિશે તેઓ શું કરવું તેનો પ્રસ્તાવ મુકવા માંગે છે. એનડીએના સભ્યોનું કહેવું છે કે થરુર સોશિયલ પ્લેટફોર્મ પર એજન્ડા પોસ્ટ કરી રહ્યા છે. સાથે દાવો કર્યો તે થરુર સમિતિ કોંગ્રેસના એજન્ડાનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
Am IT comm member - agenda item was already agreed & bulletinized with Speaker's approval at the beginning of the year. When to schedule each item & who to call is Chairman's prerogative
થરુરે વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસદીય સમિતી સામાન્ય મામલામાં નાગરિકોની સુરક્ષા અને સામાજિક - ઓનલાઈન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના દુરઉપયોગને રોકવા હેઠળ વિચાર કરશે.
થરુરના ટ્વીટ પર ભાજપના નેતા નિશિકાંત દુબેએ આરોપ લગાવતા કહ્યું કે સ્થાયી સમિતિના ચેરમેનની પાસે પોતાના સભ્યોની સાથે એજન્ડાની ચર્ચા કરવા સિવાય બીજા કોઈ અધિકાર નથી. આ મુદ્દે સંસદીય સમિતિના નિયમો હેઠળ ઉઠાવવી શકાય છે. એટલા માટે થરુર, રાહુલ ગાંધી એજન્ડા બનાવવાનું બંધ કરે.
આના જવાબમાં તુણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, હું આઈટી કમિટીની સભ્ય છું. આ વર્ષની શરુઆતમાં જ એજન્ડા આઈટમને લઈને સહમતિ બની ગઈ હતી અને સ્પીકરની સહમતિથી જાહેરખબર તૈયાર કરી હતી. હવે કયા મુદ્દે ચર્ચા થશે અને કોને બોલાવાશે તે વિશેષાધિકાર ચેરમેનનો છે. આશ્ચર્ય છે કે ભાજપ કેવી રીતે ફેસબુકના ઈન્ટરેસ્ટ માટે ઉછળ કુદ કરી રહ્યું છે.
એ બાદ શશી થરુરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહુઆ મોઈત્રા તમે બરાબર કરી રહ્યા છો. નિશિકાંત દુબેએ મારા નિર્ણય પર લાંછન લગાવી કમિટીનું અપમાન કર્યુ છે. આ મુદ્દાને હું આગળ લઈ જઈશ.
પ્રિયંકાએ પણ આ અંગે ભાજપને આડે હાથ લીધા હતા
પ્રિયંકા ગાંધીએ ભાજપના નેતા પર ઉશ્કેરણીજનક પોસ્ટ પર ફેસબુક તરફથી એક્શન ન લેવા પર એક રિપોર્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યુ છે કે ભારતના મોટાભાગના મીડિયા ચેનલ બાદ હવે સોશિયલ મીડિયાનો વારો છે. ભાજપ નફરત અને દુષ્પ્રચાર ફેલાવવા માટે દરેક પ્રકારના પેંતરા અપનાવતી રહી છે અને હજુ પણ અપનાવતી રહેશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ફેસબુક જે સામાન્ય વ્યક્તિની અભિવ્યક્તિનું સરળ માધ્યમ છે. જેનો ઉપયોગ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ભ્રામક માહિતી આપવા માટે અને નફરત ફેલાવવા માટે કર્યો છે. એટલું જ નહીં ફેસબુક કોઈ કાર્યવાહી ન કરી શકે તે માટે ભાજપે ફેસબુકના અધિકારીઓની સાંઠગાઠ પણ કરી જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ બની રહે.
દિગ્વિજય સિંહે શુ કહ્યું
ભારતમાં ફક્ત કોંગ્રેસ અને ભાજપનુ રાજકારણ જ નથી ગરમાયુ પણ રાજનૈતિક પાર્ટીએ ફેસબુકની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહે કહ્યું કે માર્ક ઝુકરબર્ગ કૃપા આના પર વાત કરે. પ્રધાનમંત્રી મોદીના સમર્થક અંખી દાસને ફેસબુકમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જે ખુશી ખુશી મુસ્લિમ વિરોધી પોસ્ટને સોશિયલ મીડિયા પર અપ્રુવ કરે છે. તમને સાબિત કર્યુ કે તમે ઉપદેશ આપો છો તેનું પાલન નથી કરતા.
ઐવેસીએ પણ વિવાદમાં ઝંપલાવ્યું
ત્યારે એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફેસબુક પર સવાલ ઉઠાવ્યા હતા કે અલગ અલગ લોકતંત્રમાં ફેસબુકના અલગ અલગ માપદંડો કેમ છે. આ કેવા પ્રકારનું નિષ્પક્ષ મંચ છે? ઓવૈસીએ ફેસબુક પર સવાલો ઉઠાવ્યા છે. આ રિપોર્ટ ભાજપ માટે નુકસાન કારક છે. ભાજપના ફેસબુક સાથેના સંબંધો અંગે ખુલાસો થયો છે અને ફેસબુક કર્મચારીઓ પર ભાજપના અંકુશનું રુપ સામે આવ્યું છે.
ફેસબુકે આપી સફાઈ
ભારતમાં ઉઠેલા સવાલેની વચ્ચે ફેસબુકે રવિવારે કહ્યું કે અમે હેટ સ્પીચ અને એવી સામગ્રીઓ પર પ્રતિબંધ લગાવીએ છીએ જે હિંસા ભડકાવે છે. અમે આ નીતિ વૈશ્વિક સ્તર પર અમલમાં મુકીએ છીએ. અમે કોઈ પણ રાજનીતિક સ્થિતિ અથવા જે પણ પાર્ટી સાથે નેતા સંબંધ ધરાવે એ પણ નથી જોતા. ફેસબુક પ્રવક્તાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં હેટ સ્પીચ અને ભડકાઉ કન્ટેન્ટને રોકવા માટે વધારે કામ કરવાની જરુર છે. અમે આગળ વધી રહ્યા છીએ. નિષ્પક્ષતા અને સટીકતાને સુનિશ્ચિત કરવા માટે અમે અમારી પ્રક્રિયાને નિયમિત રીતે ઓડિટ કરીએ છીએ.
રિપોર્ટમાં એવું તો શું છે, જેનાથી વિવાદ થયો
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં ફેસબુક હેટ સ્પીચ રુલ્સ કોલાઈડ વિથ ઈન્ડિયા પોલિટિક્સ’ હેડિંગ સાથે એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેનાથી વિવાદ ઉભો થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના ઉશ્કેરણીજનક ભાષણોના મામલાના નિયમોમાં ઢીલ આપે છે. ફેસબુક કર્મચારીએ કહ્યું કે ભારતમાં એવા અનેક લોકો છે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા કરે છે.
તેલંગાણાના ભાજપના સાંસદ ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુસ્લિમોની વિરુદ્ધ વકાલત કરવામાં આવી છે. ફેસબુકના કર્મચારીઓએ કહ્યું કે તેમણે આ પોસ્ટની કંપનીના નિયમો વિરુદ્ધ ગઈ ફરિયાદ કરી હતી. જો કે ભારતમાં ટોપ લેવલ પર બેઠેલા અધિકારીઓએ તેના પર કોઈ પગલા ભર્યા નહોતા. આવું પહેલી વાર થયું નથી. આ પહેલા ફેસબુકે નેટવર્ક અને ડેટાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીને પ્રમોટ કરવા માટે કર્યો હતો.