તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક તમને તમારા માનસિક સ્વાસ્થ્ય માટે જાણકારી આપી શકે છે. એ વાતની ભવિષ્યવાણી કરી શકે છે તે એનો યૂઝર બીમાર તો નથી. સાંભળવામાં તમને જરૂર અજીબ લાગી રહ્યું હોય પરંતુ આ એકદમ સાચું છે.
જો તમને ડાટાબિટીસ છે અને તમે બીજી માનસિક સમસ્યાઓથી પસાર થઇ રહ્યા છો તો તમારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાત જાણી શકો છો.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે યૂઝરનૂ સોશિયલ મીડિયા પોસ્ટને શારીરિક્ષ લક્ષણોની જેમ જોઇ શકાય છે. અમેરિકાના પેન્સિલ્વેનિયા અને સ્ટોની બ્રુક યૂનિવર્સિટીના શોધકર્તાઓએ ઑટોમેટિડ ડેટા કલેક્શન ટેકનીક દ્વારા 1000 દર્દીઓને ફેસબુક પોસ્ટની હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. એમા એ યૂઝરના તમામ ફેસબુક પોસ્ટનો અભ્યાસ કરવામાં આવ્યો.
વૈજ્ઞાનિકોએ આ દર્દીઓથી એમના ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ ડેટા અને પ્રોફાઇલને લિંક કરવાની પરવાનગી લીધા, ત્યારબાદ શોધકર્તાઓને વિશ્લેષણ માટે ત્રણ મૉડલ બનાવ્યા અને શોધ કરી. એમાંથી ત્રણ મૉડલમાં યૂઝરે ફેસબુક પોસ્ટની ભાષાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને બીજા મૉડલમાં ઉંમર અને રોગીના લિંગનું વિશ્લેણ કરવામાં આવ્યું અને ત્રીજા મૉડલમાં આ બંને મૉડલોને મિક્સ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું.
શોધકર્તાઓએ ફેસબુક પોસ્ટ દ્વારા દર્દીના શારીરિક લક્ષણો વિશે જાણકારી મેળવી, એના માટે 21 અલગ અલગ પરિસ્થિતિઓને જોવામાં આવી.
વાસ્તવમાં ફેસબુક પર આપણે આપણા વ્યક્તિત્વથી સંબંધિત દરેક ચીજ પોસ્ટ કરીએ છીએ. આ પોસ્ટ દ્વારા વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે, એ વાતની સરળતાથી જાણ કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ આ જ કર્યું. આપણે કેવું મહેસૂસ કરીએ છીએ અને આપણી જીવનશૈલી કેવી છે, યૂઝર દરેક વાતને ફેસબુક પર પોસ્ટ કરે છે.