Facebook એ મોટો નિર્ણય લેતા કહ્યું છે કે જો કોઇ લાઇવ સ્ટ્રીમિંગનો ઉપયોગ હિસા માટે કરે છે તો એ યૂઝરના અકાઉન્ટને બ્લૉગ કરી દેવામાં આવશે.
જો કોઇએ પોતાના ફેસબુક અકાઉન્ટથી હિસા જેવો વીડિયોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી છે, તો ત્યારે એ આગળ ફીચરનો ઉપયોગ કરી શકશે નહીં. ફેસબુકે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલી હિંસાનું લાઇવ સ્ટ્રીમિંગ બાદઆ મોટું પગલું ભર્યું છે. કંપનીની વીપી ગાય રોસેને જણાવ્યું કે જે લોકો નક્કી કરેલા નિયમ તોડ્યા છે, એમની પર ફેસબુકના લાઇવ સ્ટ્રીમિંગ ફીચરનો ઉપયોગ કરવાને લઇને પ્રતિબંધ લગાવવામાં આવશે.
શું છે નવી પૉલિસી
ગાય રોસેનનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આતંકી હુમલાને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગની સાથે ચલાવવામાં આવ્યો. આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર પણ કર્યો.
એટલા માટે હવે ફેસબુક નફરતનવે રોકવા માટે કંપની વન સ્ટ્રાઇક પૉલિસી લાવી રહી છે.
આ પૉલિસીના લાગૂ થયા બાદ જો યૂઝર શરતોનું ઉલ્લંઘન કરશે તો એના અકાઉન્ટ પર રોક લગાવી દેવામાં આવશે. અથવા એના કેટલાક ફીચર્સને બંધ કરી દેવામાં આવશે.
કોઇ યૂઝર કોઇ આતંકવાદી સંગઠનના નિવેદનની લિંક શેર કરે છે ત્યારે પણ આ પૉલિસી વિરુદ્ધ હશે. આવી સ્થિતિમાં એના અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાના વીડિયોને ફેસબુરના કેટલાક યૂઝર્સની વૉલથી ડિલીટ માર્યા, કેટલાક લોકોએ એના એડિટેડ વીડિયો પણ શેર કર્યા જે આપણા માટે પડકાર રૂપ છે