બીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓ પર દબાવ બનાવી રાખવાની તૈયારીમાં છે. ડેટા લીક હોવાની ઘટના સામે આવ્યા બાદ કંપનીઓ પર સરકારનું દબાણ છે કે યુઝર્સનો ડેટા દેશમાં જ રાખવામાં આવે. સૂત્રોનું કહેવું છે કે આ સંબંધિત નવો કાયદો આવતા મહિને આવી શકે છે. જેમાં IT કંપનીઓ માટે જરૂરી બદલાવ માટેનો પ્રસ્તાવ છે.
જો આ કાયદો લાગુ પડ્યો તો તમામ વિદેશી સોશ્યલ મીડિયા કંપનીઓને ભારતમાં પોતાની સેવા આપવા માટે લાયસન્સ લેવું પડશે. સોશ્યલ મીડિયા કંપનીઓએ અમેરિકાની ટ્રમ્પ સરકારના માધ્યમથી ભારત પર આવું નહીં કરવાનું દબાણ બનાવ્યું હતું. જો કે ભારતે અમેરિકાને સ્પષ્ટ કહી દીધું છે કે દેશહિતથી જોડાયેલા મામલાઓમાં કોઈ પણ સમજૂતી નહી કરવામાં આવે.
સૂત્રો કહે છે કે હાલમાં જ ભારત-અમેરિકામાં જે મુખ્ય મુદ્દાઓ પર ટકરાવ થઈ હતી જેમાં સોશ્યલ મીડિયા કંપનીઓને દેશની અંદર લાયસન્સ આપવાની શર્તને હટાવવા ઉપરાંત ચીની કંપની વાવે પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ હતી. હકીકતમાં સોશ્યલ મીડિયા કંપનીઓ તરફથી સંપૂર્ણ સહયોગ નહીં આપ્યા બાદ કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવાની પહેલ કરી હતી જેમાં કહ્યું કે આ તમામ કંપનીઓએ ભારતથી જોડાયેલા યુઝર્સના ડેટા ભારતમાં જ રાખવા પડશે.
સરકારે તર્ક આપ્યો કે કંપનીઓ દેશમાં કાનૂની પ્રક્રિયાથી એટલે બચી જાય છે કારણ કે તેમનું લાયસન્સ દેશમાં લેવામાં આવ્યું હોતું નથી. પરંતુ આ માટે અત્યાર સુધી કંપનીઓ તૈયાર થઈ રહી ન હતી. કંપનીઓનો તર્ક છે કે જો ભારતની આ માંગને સ્વીકારવામાં આવે તો અન્ય દેશો પણ આવી જ માંગ કરશે. તમામ દેશોમાં આવું કરવું સંભવ નહીં હોય. ઉલ્લેખનીય છે કે મોટાભાગની સોશ્યલ મીડિયા કંપનીઓ અમેરિકામાં છે અને તેમને ત્યાંથી જ લાયસન્સ પ્રાપ્ત થયેલ છે. જેમાં ફેસબુક, ટ્વિટર જેવી મોટી કંપનીઓ પણ શામેલ છે.
વૉટ્સઍપ vs ભારત સરકાર
કેન્દ્ર સરકાર અને વૉટ્સઍપની વચ્ચે પણ છેલ્લાં કેટલાંય મહિનાઓથી માથાકૂટ ચાલી રહી છે. સરકાર વૉટ્સઍપ પર ચાલી રહેલા નકારાત્મક અને ફૅક ન્યૂઝ પર અંકુશ લગાવવા માટે આઈટી ઍક્ટમાં બદલાવવા લાવવા માંગે છે જેથી સરકારને વૉટ્સઍપ પર ચાલી રહેલા મેસેજને ટ્રેક કરવાનો અધિકાર મળે. પરંતુ ફેસબુકની માલિકી ધરાવતું વૉટ્સઍપ કંપની આ માટે તૈયાર નથી. કંપનીએ સરકારને કહ્યું કે તેઓ યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ છેડછાડ નહીં કરે. આ કારણે તેઓ આ માટે તૈયાર નથી.
ગૂગલે પણ સરકારને આ જ તર્ક હેઠળ ડેટા શૅર કરવાથી ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત લોકસભા ચૂંટણીથી પહેલા સરકારનો ટ્વિટર સાથે પણ વિવાદ થયો હતો. જ્યારે સંસદીય સમિતિએ તેના પર આરોપ લગાવ્યો હતો કે જાણી જોઈને દક્ષિણપંથના અકાઉન્ટ અને કન્ટેન્ટ ટ્વિટર બ્લૉક કરી રહી છે. બાદમાં ટ્વિટરે ભરોસો આપ્યો હતો કે આ મામલે તેઓ સમીક્ષા કરશે.
ભારત વિકલ્પો શોધી રહ્યું છે
સોશ્યલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલા વિવાદોની વચ્ચે ભારત તેનો વિકલ્પ પણ શોધવામાં લાગી ગયું છે. હાલમાં સરકારી કામકાજ અને કમ્યુનિકેશન માટે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપનો પણ ઉપયોગ થાય છે. સૂત્રો અનુસાર સરકાર વૉટ્સઍપની જેમ જ પોતાની કમ્યુનિકેશન સિસ્ટમ બનાવવાની કોશિશમાં છે જેને ખાસ કરીને સરકારી કામકાજ માટે ઉપયોગ કરી શકાય. આ માટે ગયા સપ્તાહે અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ થઈ જેમાં તમામ વિકલ્પો રજૂ કરવામાં આવ્યાં.