મોદી સરકારે પેન્શનધારકો માટે ચહેરો ઓળખવાની ખાસ ટેકનીક લોન્ચ કરી છે જેનાથી તેમને જીવન પ્રમાણપત્ર આપવાનું કામ સરળ બનશે.
પેન્શનધારકો માટે ચહેરો ઓળખનાર ખાસ ટેકનીક લોન્ચ
આના દ્વારા પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર આપવાનું સરળ બનશે
ચહેરો ઓળખવાની ટેકનીક દ્વારા પેન્શનધારકોના જીવિત હોવાની પુષ્ટિ થઈ શકશે
કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ ટેકનીક રજૂ કરતા જણાવ્યું કે તેનાથી સેવાનિવૃત અને બુઝર્ગ પેન્શનધારકોને ઘણી સગવડતા રહેશે. ચહેરો ઓળખનાર આ ટેકનીકની મદદ દ્વારા પેન્શનધારકોના જીવિત હોવાની પણ પુષ્ટિ કરી શકાશે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સંસદને જાણ કરી
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેન્શનધારકોની જરુરતો અંગે હમેંશા સંવેદનશીલ રહી છે અને તેમની જિંદગીને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 2014 માં સત્તામાં આવ્યાં બાદ સરકારે પેન્શનધારકો માટે ડિઝિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા શરુ કરી હતી. હવે ચહેરો ઓળખવાની આ ટેકનીક દ્વારા તેમને વધારે મદદ મળશે.
ઉલ્લેખનીય છે વર્ષના અંતે તમામ પેન્શનધારકોએ ફરજિયાત પણે તેમના જીવિત હોવાનો પુરાવો આપવો રજૂ કરવો પડતો હોય છે અને તેને આધારે જ તેમને આગળનું પેન્શન અપાતું હોય છે.
68 લાખ કેન્દ્રીયની સાથે રાજ્યના પેન્શનધારકોને પણ મળશે લાભ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સુવિધાથી કેન્દ્ર સરકારના 68 લાખ પેન્શનધારકોની સાથે સાથે ઈપીએફઓ તથા રાજ્ય સરકારના પેન્શનધારકોને પણ લાભ મળશે.
શું સુવિધા લોન્ચ કરી મોદી સરકારે
મોદી સરકારે પેન્શનધારકો માટે ચહેરો ઓળખવા માટેની ખાસ ટેકનીક લોન્ચ કરી છે. જેનાથી પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર આપવાનું સરળ બની રહેશે. સાથે જીવિત હોવાનો પુરાવો આપવામાં પણ ઘણી રાહત રહેશે.