અત્યારે વાતાવરણમાં ફેરફારને કારણે ત્વચા પર તેની ખરાબ અસર થઈ શકે છે. જેના માટે તમારે ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ. સાથે અત્યારે દિવસ તડકો અને રાતે ઠંડક અનુભવાય છે. જેથી ચહેરાની ત્વચા સંબંધી સમસ્યાઓને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. તેના માટે ઘરમાં જ અહીં જણાવેલી સામાન્ય વસ્તુઓનો પ્રયોગ કરો અને ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખો. ચાલો જાણીએ સ્કિન માટેના બેસ્ટ ઉપાય.
અલગ અલગ સ્કિન માટે બેસ્ટ ઉપાય
તમારી સ્કિનની સમસ્યા પ્રમાણે કરો લગાવો આ વસ્તુ
જલ્દી રિઝલ્ટ જોઈએ તો નિયમિત કરો
નિષ્તેજ સ્કિન માટેનો ઉપાય
આ ફેસપેક નિષ્તેજ અને બેજાન ત્વચામાં જાન લાવી દેશે. તેના માટે એક વાટકીમાં બે ચમચી ઓલિવ ઓઈલ અને એલોવેરા જેલ મિક્ષ કરીને તેમાં એટલી જ માત્રામાં ઓટ્સ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને 5 મિનિટ સુધી ધીરે-ધીરે ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. મૃત ત્વચાને જીવંત કરવા માટેનો આ બેસ્ટ નેચરલ સ્ક્રબ છે.
કરચલીની સમસ્યા માટે
ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો.
ઓઈલી સ્કિન માટે
ઓઈલી સ્કિનનું થોડું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ઓઈલી ત્વચામાં વધારે સમસ્યાઓ થાય છે. એલોવેરા જેલમાં મધ મિક્ષ કરીને તેને ચહેરા અને ગરદન પર 20 મિનિટ લગાવી ધોઈ લેવું. આનાથી ચહેરા પરનું વધારાનું ઓઈલ દૂર થશે અને ત્વચા સાફ અને ચમકદાર બનશે.
સેન્સિટિવ સ્કિન માટે
સેન્સિટિવ સ્કિન હોય એવા લોકોને ઘણી વસ્તુઓથી એલર્જી થઈ જાય છે. સેન્સિટિવ ત્વચા પરની ગંદકી દૂર કરવા માટે એલોવેરા જેલમાં કાકડીનો રસ, દહીં અને ગુલાબનું તેલ મિક્ષ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી સૂકાવા દો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા તરોતાજા અને સ્વસ્થ રહેશે.