ક્લોથિંગ, હોમ ડેકોર અને લાઇફ સ્ટાઇલ પ્રોડક્ટ્સ સાથે જોડાયેલી કંપની ફૅબ ઇન્ડિયાના ફેસ્ટિવ સીઝન કેમ્પેઇન પર ખળભળાટ મચી ગયો છે.
ફૅબ ઇન્ડિયાના કેમ્પેઇન પર ખળભળાટ
સોશ્યલ મીડિયા પર બૉયકોટની માગ ઉઠી
લોકોએ કહ્યું, દિવાળી મુસ્લિમ તહેવાર નથી
ફૅબ ઇન્ડિયા તરફથી તહેવારો પર જશ્ન-એ-રિવાઝ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે દિવાળી જશ્ન-એ-રિવાઝ નથી.
ફૅબ ઇન્ડિયાએ ટ્વિટ કરતાં કહ્યું કે, જેવી રીતે આપણે પ્રેમ અને પ્રકાશના તહેવારનું સ્વાગત કરીએ છીએ, ફૅબ ઇન્ડિયા દ્વારા જશ્ન-એ-રિયાઝ એક એવો સંગ્રહ છે જે ખુબસુરતીથી ભારતીય સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ આપે છે. જો કે વિવાદ બાદ ફૅબ ઇન્ડિયાએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.
ફૅબ ઇન્ડિયાએ કહ્યું, આ દિવાળી પહેલાથી વધારે મિત્રો અને પરિવાર સાથે રહેવા માટે આભારી છીએ. આ સંગ્રહ પોતીકાપણાનું પ્રતિક છે. તમે શિલ્પને અપનાવવાનો આગ્રહ રાખો.
ફૅબના આ કેમ્પેન પર સૌથી પહેલા પદ્મશ્રી અને મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન મોહનદાસ પાઇએ વ્યંગ કર્યો. તેમણે કહ્યું કે દિવાળી પર ફૅબ ઇન્ડિયાનું શરમજનક નિવેદન. આ એક હિન્દુ ધાર્મિક તહેવાર છે જેમકે ક્રિસમસ અને ઇદ બીજા માટે છે. આ પ્રકારના નિવેદન એક ધાર્મિક તહેવારને ખતમ કરવાનું ષડયંત્ર પ્રતીત થાય છે.
સાથે એક યુઝરે લખ્યું કે, કરવાચૌથ, અહોઇ, દિવાળી, ભાઇબીજ આ શું મુસ્લિમ ફેસ્ટિવલ છે તો તમે જશ્ન-એ-રિવાઝ લખી રહ્યાં છો. તો અન્ય કેટલાક યુઝર્સે લખ્યું કે, ફૅબ ઇન્ડિયાનો બહિષ્કાર કરો.