યોગી સરકારે પરાલી સળગાવવાના કેસને પાછા લેવાની જાહેરાત કરી
ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકારે આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની પહેલા મોટું પગલુ ભર્યુ છે. સીએમ યોગીએ બુધવારે ખેડૂતોની વિરુદ્ધ પરાલી સળગાવવાના આરોપમાં દાખલ કેસને પાછા લેવાની જાહેરાત કરી છે. સાથે તેમણે આ ગુનામાં ખેડૂતો પર લગાવેલો દંડ પણ માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સીએમએ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વીજળી બિલ ન ભર્યુ હોવાના કારણે કોઈ પણ ખેડૂતનું કનેક્શન ન કાપે. ખર્ચ પર વ્યાજ ન આપવું પડે. આ માટે ઓટીએસ સ્કીમ લગાવવામાં આવે.
સુગર મિલો શરુ થશે કરવાનો વાયદો
સીએમ આવાસ પર બુધવારે સીએમ યોગીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન યોગીએ ખેડૂતોને વાયદો કર્યો કે તેમની સરકાર એ સુનિશ્ચિત કરશે કે 2010થી પેન્ડિંગ ખેડૂતોને તમામ જૂની ચૂકવણી નવા શેરડી પેરાઈ સત્ર પહેલા થઈ જાય. તેમણે રહ્યું કે નિર્ણયથી તમામ હિતધારકોન જણાવવામાં આવશે જેથી ખેડૂતો ગુમરાહ ન થાય. તેમણે કહ્યું કે પશ્ચિમ વિસ્તારોમાં સુગર મિલો 20 ઓક્ટોબરથી મધ્ય વિસ્તારમાં 25 ઓક્ટોબર સુધી શરુ થશે.
1.4 લાખ કરોડ રુપિયાથી વધારે રેકોર્ડ શેરડીના ભાવની ચૂકવણીનો વાયદો
સીએમે કહ્યું કે 2007થી 2016 સુધી શેરડીના ખેડૂતોને ફક્ત 95000 કરોડ રુપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે યુપીમાં 45.74 લાખથી વધારે શેરડી ખેડૂતોને 2017 અને 2021ની વચ્ચે 1.4 લાખ કરોડ રુપિયાથી વધારે રેકોર્ડ શેરડીના ભાવની ચૂકવણી કરવામાં આવશે. જ્યારે 2016-17માં 6 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષનો રેકોર્ડ 56 કોરોના છતાં લાખ મેટ્રીક ટન ઘંઉની ખરીદી કરવામાં આવી છે.
કેન્દ્રએ બુધવારે ઓક્ટોબર 2021થી શરુ થનારા નેક્સ સુગર સિઝન માટે શેરડીના નવા યોગ્ય અને લાભકારી મૂલ્ય (FRP)ને 290 રુપિયા પ્રતિ ક્વિંટલ પર મંજૂરી આપી દીધી. જે ગત વર્ષની સરખામણીમાં 5 રુપિયાની વૃદ્ધિ છે. કેબિનેટની બેઠક બાદ મીડિયાને જાણકારી આપતા ખાદ્ય અને ગ્રાહક મામલાના મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ નિર્ણયથી દેશભરમાં ખાંડ મિલોમાં કાર્યરત 5 કરોડ શેરડી ખેડૂતોની સાથે સાથે 5 લાખ શ્રમિકોને લાભ થશે.