રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ સાહૂની હત્યાના મુદ્દા પર AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કહ્યું હતું કે, દરેક હિંસાની ટિકા થવી જોઈએ.
રાજસ્થાનના ઉદયપુરમાં હત્યા
ટેલરની ધોળાદિવસે હત્યા કરાઈ
ઓવૈસીએ આ ઘટના પર આપ્યું રિએક્શન
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ સાહૂની હત્યાના મુદ્દા પર AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કહ્યું હતું કે, દરેક હિંસાની ટિકા થવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, કટ્ટરપંથીઓને કાબૂમાં કરવાની જરૂર છે. હૈદરાબાદથી સાંસદે કહ્યું કે, હું એ ગરીબ દરજી સાથે ઉદયપુરમાં જે થયું તેની નિંદા કરુ છું. પણ સાથે જ રાજસ્થાનમાં થોડા વર્ષો પહેલા જયપુરમાં જે થયું તેની પણ નિંદા કરવી જોઈએ. કટ્ટરતાને કંટ્રોલ કરવાની જરૂર છે. એટલા માટે મેં માગ કરી છે કે, આપણા દેશમાં થઈ રહેલી કટ્ટરતા પર નજર રાખવા માટે ગૃહમંત્રાલયમાં એન્ટી રેડિકલાઈજેશન સેલ દરેક ધર્મ માટે હોવા જોઈએ નહીં કે ફક્ત એક વિશેષ ધર્મ માટે.
I strongly condemn the Udaipur incident... We hope the Rajasthan govt takes strict action. Had the police been more alert, this wouldn't have happened... Radicalisation is spreading... Nupur Sharma should be arrested; mere suspension was not enough: AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/t8WCPZjoX0
ઓવૈસીએ કહ્યું કે, કોઈ પણ પ્રકારના કિન્તુ, પરંતું વગર આ ઘટનાની નિંદા કરવી જોઈએ. કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવા અને આવી રીતે બકવાસ કરવાનો અધિકાર નથી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઉદયપુર શહેરના ધાનમંડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ, જ્યારે બેથી ત્રણ લોકોએ મળીને એક યુવકની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. ધોળા દિવસે થયેલા આ હત્યા બાદ ધનમંડી અને ઘંટાઘર પોલીસ સ્ટેશન પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મૃતક કનૈયાલાલનો આઠ વર્ષનો દિકરાએ તેના મોબાઈલમાંથી નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જો કે, તે બાદ ધનમંડી પોલીસે કનૈયાલાલની ધરપકડ પણ કરી હતી. તેમ છતાં કનૈયાલાલને સતત ધમકી મળી રહી હતી અને મંગળવારે મોકો જોઈને ધારદાર હથિયારથી તેની હત્યા કરી દેવામાં આવી હતી.