એક હવામાન વૈજ્ઞાનિકે સમુદ્રમાં થનારી અસામાન્ય ગતિવિધિના કારણે આવનારા દિવસોમાં દેશમાં તોફાન, ચક્રવાત, પુર અને સુકા દુકાળની ઘટનાઓમાં વધારો થયાની આશંકા વ્યક્ત કરી છે.
દેશમાં તોફાન, ચક્રવાત, પુર અને સુખા દુકાળની આશંકા
સમુદ્રના સ્તરમાં તેજીથી વધારો થઈ રહ્યો છે
1870ની શરુઆતથી મુંબઈના તટ પર આ સમુદ્રીય ઘટનાઓમાં વૃદ્ધિ થઈ
દેશમાં તોફાન, ચક્રવાત, પુર અને સુકા દુકાળની આશંકા
ભારતના દક્ષિણ રાજ્યો વરસાદ અને પુરથી બેહાલ છે. ખાસ કરીને સમુદ્રી તટના રાજ્યો તથા તેની નજીકના વિસ્તારોમાં ગત કેટલાક વર્ષોથી વરસાદ અને પુરની ઘટનાઓ વધી છે. આ દરમિયાન એક હવામાન વૈજ્ઞાનિક દ્વારા સમુદ્રમાં થનારી અસામાન્ય હલચલોના કારણે આવનારા દિવસોમાં દેશમાં તોફાન, ચક્રવાત, પુર અને સુકા દુકાળની ઘટનાઓમાં વધારો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે ઉત્તરી ઓડિશા તટ પર 26 મેએ પ્રચંડ ચક્રવાત યાસ અથડાયું હતુ. ત્યારે ગુજરાતના તટ પર ચક્રવાત સાયક્લોને એન્ટ્રી કરી હતી.
1870ની શરુઆતથી મુંબઈના તટ પર આ સમુદ્રીય ઘટનાઓમાં વૃદ્ધિ થઈ
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીના ક્લાઈમેટ સાઈન્ટિસ્ટ સ્વપ્ન પનિકલે કહ્યું કે, સમુદ્રમાં બનનારા ભારે ભરતી અને અન્ય ગતિવિધિઓ વધારે જોખમ વાળા સમુદ્રીય ઘટનાઓમાં વધારાની શક્યતા દર્શાવે છે. જળવાયું પરિવર્તન પર સંબંધિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે આંકડા દર્શાવે છે કે 1870ની શરુઆતથી મુંબઈના તટ પર આ સમુદ્રીય ઘટનાઓમાં વૃદ્ધિ થઈ છે.
સમુદ્રના સ્તરમાં તેજીથી વધારો થઈ રહ્યો છે
હવામાન વૈજ્ઞાનિક સ્વપ્ન પનિકલે ચેતવણી આપી કે સમુદ્રીય સ્તર પર થનારા ઉતાર ચઢાવથી ભારતના તટીય રાજ્યોમાં સારી તૈયારી રાખવી પડશે. તેમણે કહ્યું કે 1870 થી 2000ની વચ્ચે વૈશ્વિક સમુદ્રીય સ્તરમાં પ્રતિ વર્ષ 1.8 એમએમનો વધારો થયો છે. જે 1993થી 2017ની વચ્ચેમાં 3.3 એમએમ થઈને બે ગઈ થઈ છે.
સમુદ્રના પાણી પર ગરમીના પ્રભાવના કારણથી સમુદ્રીય સ્તરમાં વધારો થયો
ગ્લેશિયરના પીગળવા અને સમુદ્રના પાણી પર ગરમીના પ્રભાવના કારણથી સમુદ્રીય સ્તરમાં વધારો થયો છે. મહાસાગર પર્યાવરણના 91 ટકાથી વધારે ગરમીને શોષે છે. તેમની પાસે પૃથ્વી પર હાજર અન્ય ઘટકોની સરખામણીએ સૌથી વધારે તાપ ક્ષમતા છે. વૈશ્વિક સરરાશ સમુદ્ર સ્તર વધી રહ્યું છે. અને અરબ સાગર સહિત હિંદ મહાસાગરમાં પણ સમુદ્રીય સ્તર વધવાનું અનુમાન છે. 2050 સુધી હિંદ મહાસાગર વિસ્તારમાં સમુદ્ર સ્તરમાં 15થી 20 સેમીની વૃધ્ધિ થવાની શક્યતા છે અને આ ચિંતાની વાત છે. સાયન્ટિસ્ટ સ્વપ્ન પનિકલે કહ્યું કે સમુદ્રીય સ્તરમાં અતિસય વધારાના કારણે આવનારા દિવસોમાં અનેક ભયંકર ચક્રવાત આવવાની શક્યતા છે.