22 જૂને નેચર જર્નલમાં આવેલ આ રિપોર્ટ અનુસાર 1979માં સેટેલાઈટ રેકોર્ડ મુજબ શરૂઆતથી જ દર વર્ષ 4.4 ટકા બરફ પીગળી રહ્યો છે.
સપ્ટેમ્બરમાં મધ્ય ભારતમાં મુશળધાર વરસાદ
NCPOOR ના વૈજ્ઞાનિક સૌરવ ચેટરજીનો દાવો
અરબ સાગરના તાપમાનમાં વધારો
સપ્ટેમ્બરમાં મધ્ય ભારતમાં મુશળધાર વરસાદ
આર્ક્ટિક મહાસાગરન થોડા ભાગમાં ગરમીને કારણે બરફ પીગળી રહ્યો છે અને તેના કારણે સપ્ટેમ્બરમાં મધ્ય ભારતમાં મુશળધાર વરસાદ પ્યાસી શકે તેમ છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં આવતા નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો છે. 22 જૂને નેચર જર્નલમાં આવેલ આ રિપોર્ટ અનુસાર 1979માં સેટેલાઈટ રેકોર્ડ મુજબ શરૂઆતથી જ દર વર્ષ 4.4 ટકા બરફ પીગળી રહ્યો છે.
NCPOOR ના વૈજ્ઞાનિક સૌરવ ચેટરજીનો દાવો
પરતું હજી પણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે સમુદ્રમાં બરફના પિગળવાથી ઉષ્ણકટિબંધ વાળા વિસ્તારોમાં અને ભારતના ચોમાસા દરમિયાન ઘણો પ્રભાવ પડી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ કારણે ઉત્તર અને પશ્ચિમના યુરોપમાં ઉચ્ચ દબાણ આવી શકે છે. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે મોડા ચાલુ થતાં ચોમાસામાં અધિક વરસાદ પડે છે તેવી ઘટનાઓ માત્રને માત્ર સમુદ્રના આ બરફ પિગળવાને કારણે જ થાય છે.
અરબ સાગરના તાપમાનમાં વધારો
NCPOOR ના વૈજ્ઞાનિક સૌરવ ચેટરજીએ કહ્યું છે કે આર્ક્ટિક મહાસાગરન થોડા ભાગમાં ગરમીને કારણે બરફ પીગળી રહ્યો છે. ઉનાળા દરમિયાન ગરમ પવનની ગતિ સાગરમાં ઘણી વધી જાય છે. આ બાદ આ ગરમ હવાને કારણે ઉત્તર અને પશ્ચિમના યુરોપમાં ઉચ્ચ દબાણ આવી શકે છે જેના કારણે પવનનું સર્ક્યુલેશન ઝડપી થઈ જાય છે. તેમણે કહ્યું કે વધુ પડતી ગરમ હવા એટલે કે જેટ સ્ટ્રીમ પણ આનું કારણ બની શકે છે, ઉપરના સ્તરની હવામાં ફેરફાર થતાં અરબ સાગરના તાપમાનમાં વધારો થાય છે. આ કારણોને લીધે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન અતિ વરસાદની ઘટનાઓ થાય છે.