બનાસકાંઠામાં વ્યાજખોરોએ પીડીત પર હુમલો કર્યો હતો. ત્યારે વ્યાજખોરો દ્વારા પીડીત પર હુમલો કરતા પીડીતના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે દાંતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
બનાસકાંઠામાં વ્યાજખોરે પીડીત પર કર્યો હુમલો
નાગેલ ગામે યુવકે વ્યાજખોર પાસેથી રૂ.1 લાખ લીધા હતા
પિડીત હાલ દાંતા સિવિલમાં સારવાર હેઠળ
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે વ્યાજ ખોરો હજુ પણ સામાન્ય માણસને હેરાન પરેશાન કરી રહ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં બનાસકાંઠાના નાંગેલ ગામે રહેતા યુવકે વ્યાજખોર પાસેથી રૂ.1 લાખ વ્યાજે લીધા હતા. ત્યારે 1 લાખના બદલામાં 3 લાખ રૂપિયા ચૂકવવા છતાં વ્યાજખોર અવાન નવાર ઉઘરાણી કરતો હોવાનો આરોપ પીડીતે નાગેલ ગામના જયંતીજી સેંધમા નામના વ્યક્તિ પર લગાવ્યો છે.
દાંતા પોલીસ મથકે પીડીતે વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
આ બાબતે પીડીતને પૂછતા તેણે જણાવ્યું હતું કે મેં 1 લાખના બદલામાં 3 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોર યુવક મારી પાસે અવાર નવાર ઉઘરાણી કરતો હતો. ત્યારે મેં ગાય લાવવા માટે રૂપિયા ઉધાર લીધા હતા. પરંતું લમ્પી વાયરસના કારણે મેં વ્યાજ ભરેલ નથી. હાલ પીડીતને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ પીડીતે દાંતા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.
કોંગ્રેસના નેતા સામે પણ નોંધાઈ છે ફરિયાદ
અમદાવાદમાં કરોડોની વ્યાજખોરીની ફરિયાદ નોંધાવવા પામી છે. વ્યાજખોરીમાં કોંગ્રેસના નેતા જયેન્દ્રસિંહ પરમારની પણ સંડોવણી બહાર આવતા તેમની સામે પણ આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. ફરિયાદીના રૂપિયા જમીનમાં રોકાઈ જતા વ્યાજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરોએ 10 થી 40 ટકા સુધીનું વ્યાજ વસૂલ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પીડીતે રૂ.3.78 કરોડની સામે 9.95 કરોડ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે 9.95 કરોડ ચૂકવવા છતા રૂ.3.36 કરોડની વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે અને ફરિયાદીની મિલકત પચાવી લેવા ધમકી આપી રહ્યા છે.
પીડીત વ્યક્તિ ઓળખ છુપાવીને પણ આપી શકશે ફરિયાદ
અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જોકે હવે આવા વ્યાજખોરો સામે સામાન્ય જનતા પણ જાગૃત બની ફરિયાદ આપે તે માટે પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં હાલ વ્યાજખોરો વિરુધ્ધ મેગાડ્રાઈવ ચાલી રહી છે. તો વળી અનેક માથાભારે વ્યાજખોરોના ડરને કારણે સામાન્ય માણસ પોલીસ ફરિયાદ આપતા પણ ભયભીત બને છે. જોકે અમદાવાદ પોલીસે હાલ જે પ્રયોગ હાથ ધર્યો છે તેનાથી વ્યાજખોરોનો ભોગ બનેલ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી એટલે કે નામ છુપાવીને પણ વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ આપી શકશે.