વિદેશમંત્રી એસ જયશંકરે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સાથે મુલાકાત લીધી. આ મુલાકાતમાં તેમણે દ્વિપક્ષીય સંબંધો મામલે ચર્ચા કરી હતી. સાથેજ રઈસીએ PM મોદીનું વ્યક્તિગત અભિવાદન પણ કર્યું હતું.
ઈબ્રાહિમ રઈસીને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર
ઈરાનના નવા રાષ્ટ્રપતિ છે ઈબ્રાહિમ રઈસી
રઈસીએ વડાપ્રધાન મોદીનું વ્યક્તિગત અભિવાદન કર્યું
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત લીધી છે. તેઓ ગઈકાલેજ ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ તરીકે જ્યારે તેમણે શપથ લીધી ત્યારે એસ જયશંકર પણ ત્યા હતા. આજે તેમણે રાષ્ટ્રપતિ રઈસી સાથે ભારત અને ઈરાનના સંબંધો મામલે ચર્ચા કરી.
A warm meeting with President Ebrahim Raisi after his assumption of office. Conveyed the personal greetings of PM @narendramodi .
His commitment to strengthening our bilateral relationship was manifest. So too was the convergence in our regional interests. pic.twitter.com/D9GS2MGKjx
રાષ્ટ્રપતિ રઈસીને મળ્યા બાદ તેમણે ટ્વીટ કર્યું. સાથેજ રઈસીએ વડાપ્રધાન મોદીનું વ્યક્તિગત અભિવાદન કર્યું હતું તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી. સાથેજ રઈસીએ એવું પણ કહ્યું તમારા ટીમ સાથે કામ કરવા હું ઘણો ઉત્સુક છું
સંબંધોના વિકાસ માટે ખાસ પગલા
રઈસીએ કહ્યું કે ભારત સાથેના વ્યાપક સંબંધ રાખવા તેઓ વિશેષ મહત્વ આપે છે. સાથેજ તેમણે કહ્યું કે નવા દ્રષ્ટિકોણ સાથે દ્રિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસમાં નવા અને ખાસ પગલા લેવા જોઈએ.
સુરક્ષા મામલે ભારતના વખાણ
એસ જયશંકર સાથે થયેલી બેઠકમાં રઈસીએ એવું પણ કહ્યું કે ઈરાન અને ભારત સુરક્ષા સુનિશ્ચિત કરવામાં રચનાત્મક ભૂમિકા નીભાવે છે. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં જે સુરક્ષા સ્થાપિત કરવામાં આવી છે. જેમા દિલ્હીની ભૂમિકાના તેમણે ઘણા વખાણ કર્યા.
ગત જૂનમાં ચૂંટણી જીત્યા
ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં ઈરાનમાં રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી થઈ જે ચૂંટણીમાં રઈસીની જીત થઈ હતી. તેમને કટ્ટરપંથી નેતા માનવામાં આવે છે. તેઓ અમેરિકા સાથેના સંબંધો સુધારવામાં ખાસ વિશ્વાસ નથી રાખતા. જોકે તેમણે એવું કહ્યું છે અમેરિકાએ તેમની મનમાની પ્રમાણે જે પ્રતિબંધો લગાવ્યા છે. તેને હટાવા તેઓ શક્ય તેટલા યોગ્ય પગલા લેશે.