ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવાના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટે (ICJ)એ ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. કોર્ટના 16 જજોએ 15-1ના બહુમતથી કુલભૂષણની સજા રદ્દ કરી. આ મામલે વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું.
આંતરરાષ્ટ્રીય કોર્ટના અધ્યક્ષ જસ્ટિસ અબ્દુલકાવી એહમદ યૂસુફે કહ્યું કે પાક. જ્યાં સુધી પ્રાભવી રીતે આ નિર્ણયની સમીક્ષા અને તેના પર પુનર્વિચાર ન કરી લે, ફાંસી પર રોક યથાવત રહેશે.
પાકિસ્તાન કુલભૂષણને મુક્ત કરે
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે કુલભૂષણની સુરક્ષા માટે તમામ પગલા લેવાશે. તેમણે કહ્યું કે તેમની મુક્તિ માટે સરકાર પૂર્ણ પ્રયાસ કરી રહી છે. સદનને આ ચુકાદાનું સ્વાગત કરવું જોઇએ. કુલભૂષણ જાધવ નિર્દોષ છે અને તેમના વિરુદ્ધ ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. પાકિસ્તાને બળજબરીપૂર્વક તેમનું કબૂલનામુ લીધું છે અને પાકિસ્તાને તાત્કાલિક તેમને મુક્ત કરવા જોઇએ. ભારતની જનતા અને આ ગૃહ જાધવ પરિવાર પ્રત્યે પુરી સાંત્વના પાઠવે છે.
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતથી હાર્યું પાકિસ્તાન
10 ઓગષ્ટ 1999માં વાયુસેનાએ કચ્છમાં પાકિસ્તાન નેવીના એરક્રાફ્ટ એટલાન્ટિકને તોડી પાડ્યું હતું. તેમા સવાર 16 સૈનિકોનું મોત થયું હતું. પાકિસ્તાનનો દાવો હતો કે એરક્રાફ્ટને તેના એરસ્પેસમાં તોડી પાડવામાં આવ્યું હતું. આઇસીજને 16 જજોની બેંચે 21 જૂન 2000ને પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો હતો. ત્યારબાદ ફરી બીજી વાર પાકિસ્તાનની આઇસીજેમાં હાર થઇ છે.