રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથના નિવેદન પર અસંમતિ દર્શાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ પણ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી શકે નહીં.
રાહુલ ગાંધીએ કમલનાથના નિવેદનનો કર્યો વિરોધ
તેમણે કહ્યું," અંગત રીતે હું આવી ભાષા પસંદ કરતો નથી"
પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ ની ત્રણ દિવસીય મુલાકાતે છે રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં તેમના મત વિસ્તાર વાયનાડ ની મુલાકાતે છે. આ દરમિયાન રાહુલ ગાંધી એ મીડિયા સાથે વાત કરતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ના નિવેદન પર અસંમતિ દર્શાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "કોઈ પણ વ્યક્તિ મહિલાઓ સાથે અણછાજતું વર્તન કરી શકે નહીં"
#WATCH It is Rahul Gandhi's opinion. I have already clarified the context in which I made that statement... Why should I apologise when I did not intend to insult anyone? If anyone felt insulted, I have already expressed regret: Former MP CM Kamal Nath https://t.co/Io2z9b3Tiupic.twitter.com/nfB8Eum4nH
મધ્ય પ્રદેશ ના કેબિનેટ પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' તરીકે સંબોધિત કરનારા MP ના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ના નિવેદન બાબતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડ ના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "મને અંગત રીતે આ પ્રકારની ભાષા પસંદ નથી. હું તેનું સમર્થન કરતો નથી. આપણે જે રીતે મહિલાઓ સાથે વર્તન કરીએ છીએ તેને સુધારવાની જરૂર છે. આપણી મહિલાઓ આપણું ગૌરવ છે. હું આવી ભાષાની પ્રશંસા કરતો નથી"
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિશાને હાલમાં કેન્દ્રની મોદી સરકાર છે અને હાલમાં રાહુલ ગાંધી વાયનાડ ની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના રોગચાળા ને કારણે વિશ્વ હાલમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ ખૂબ જ ખરાબ સમય છે અને અમે કેન્દ્રને ગરીબોની મદદ કરવા માટે અપીલ કરી હતી.
કેન્દ્રે અર્થતંત્રને ફરીથી પાટે ચડાવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી : કોંગ્રેસી નેતા
વાયનાડ ના સાંસદ રાહુલ ગાંધી એ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને ફરીથી પાટે ચડાવવા માટે કોઈ જ પ્રયાસ કર્યા નથી. લોકડાઉન લાદવાના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના લોકોને તેમના ઘરે પાછા ફરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
રાહુલ ગાંધી એ કહ્યું કે કેરળની જનતાએ કોરોના સામે સારી લડત લડી છે. વાયનાડ ની સ્થિતિ ઘણી સારી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને આરોપ લગાવવાની રાજનીતિ ન કરવી જોઈએ. મેં પહેલેથી જ કહ્યું હતું કે અમને કોરોનાને કારણે ઘણી સમસ્યાઓ થશે. હવે એકબીજા પર આરોપ મૂકવાનો કોઈ ફાયદો નથી.