નડિયાદમાં ત્યજી દીધેલું બાળક મળી આવવા મામલો મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ આરોપી મહિલાની અટકાયત કરી અન્ય બે લોકોની પણ પૂછપરછ શરૂ કરી છે.
બાળક દત્તક લીધૂ પણ માં ન બની શકી..!
પાલક 'માં'નું બાળકથી મન ભરાઈ ગયું..!
નડિયાદમાં ત્યજી દીધેલા બાળક મામલે મોટો ખુલાસો
નડિયાદમાં બે દિવસ અગાઉ રાત્રીના રોજ પશ્ચિમ વિસ્તારમાં આવેલ માતૃછાયા અનાથ આશ્રમમાં દોઢ માસના માસૂમ બાળકને તરછોડી દેવાના પ્રકરણમાં પોલીસે આજે વડોદરાની મહિલા અને બે બોડેલીના ઈસમોને લાવી પૂછપરછ હાથ ફરતા ઘણા કરુણામય તથ્યો સામે આવ્યા છે હાલ પોલીસ દ્વારા મહિલાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મંગળવારે રાત્રે 10:30 કલાકે અજાણ્યા કોઈ ઈસમો માતૃછાયા અનાથ આશ્રમના ઘોડિયાઘર માં દોઢ માસના માસૂમ બાળકને તરછોડી ભાગી ગયા હતા જેઅંગે માતૃછાયા સંસ્થા દ્વારા નડીઆદ પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ચાર ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા પર્સિંગની કાર નમ્બર Gj 34 B 2234 તે જ રાત્રે 10 :13 કલાકે એક્સપ્રેસ હાઇવેથી નડીઆદમાં પ્રવેશ કરી માતૃછાયા સંસ્થાના પાસે આવેલ નીલકંઠ મહાદેવ પાસેના સીસીટીવી માં 10:30 કલાકે દેખાઈ હતી
પોલીસ કઈ રીતે આરોપી સુધી પહોંચી
જે બાદ તુરત 10:40 કલાકે વડોદરા તરફ પાછી ફરી હતી માત્ર 27 મિનિટના જ ગાળામાં દૂરથી આવેલ કારે પોલીસની શંકા દૃઢ કરતા પોલીસે કાર મલિકની તપાસ કરતા છોટાઉદેપુર ના બોડેલીમાં આવેલ એક.કે.પાઇપ કંપનીના એચ.કે શાહ નામના ઈસમ પાસે પહોંચ્યા હતા જોકે ત્યાં માત્ર કાર અને ચાલક જ મળ્યા હતા જેઓની પૂછપરછ કરતા ચાલક અને તેના સાથીએ ઘટના અંગે પોલીસને માહિતગાર કરી વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હેમા સંઘાણી નામની મહિલાને બાળક સાથે બેસાડી નડીઆદ માતૃછાયા અનાથ આશ્રમમાં કારના માલિક ના કહેવાથી ગયા હતા જે માહિતી આધારે પોલીસે વડોદરાના ગોત્રીમાંથી હેમા સંઘાણી નામની મહિલાની અટકાયત કરી નડીઆદ પૂછપરછ માટે લાવતા મહિલાએ ચોંકાવનારી વિગતો આપી હતી
એકલવાયું જીવનના અંધારાને દૂર કરવા બાળક પાલન પોષણ માટે લીધું પણ..
હેમા સંઘાણી નામની મહિલા આધેડ ઉંમરની હોવા સાથે તેના યુવાન દીકરાનું મોત થયું હોય અને એકલવાયું જીવન જીવતા હોવાને લઇ બોડેલીની તેમની બહેનપણી નીતા શાહને બાળક દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેને લઈ નીતા શાહની રાજકોટમાં રહેતી વ્યક્તિએ જસદણના એક પરિવાર પાસેથી આ માસૂમ બાળક પાલન પોષણ માટે આપ્યું હતું. બાળકને નડિયાદ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદ ની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે.
બાળકને કેમ છોડી મૂક્યું?
બાળકને દત્તક લેવાની પ્રોસેસ થઇ હતી કે કેમ તે અંગે હાલ પૂછપરછ ચાલી રહી છે. બાળકને હૃદયની ગંભીર બિમારી છે. ગંભીર બિમારીને કારણે બાળકને આશ્રમની બહાર ત્યજી દેવામાં આવ્યું હતું. બાળકની હાલ વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકને આશ્રમ પાસે ત્યજી દઇને કારમાં મહિલા પરત ફરી હતી. પોલીસ CCTVના આધારે મહિલા સુધી પહોંચી હતી.
બાળકને ત્યજતાં પહેલા નામની ટેગ પણ લગાવી
જોકે તે માસુમને માતાની જેમ જ તમામ રસી મુકવી હતી જોકે બાળક બીમાર રહેતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ જ્યાં બાળકને ગંભીર બીમારી હોવાનું ખુલતા બાળકને સારી સારવાર મળે અને નવું જીવતદાન મળે તે માટે બાળકને કોઈ સારી જગ્યાએ છોડવાનું નક્કી કર્યું હતું અને બોડેલીની સહેલીના સહકારથી કાર મેનેજ કરી નડીઆદની માતૃછાયા અનાથ આશ્રમમાં આ બાળક તરછોડ્યું હતું સાથે બાળકના ખરા નામ અને પૂરતી વિગતો મળી રહે તે માટે તેના પગમાં નામની ટેગ પણ છોડી હતી પોલીસે હાલ આરોપી મહિલા હેમાબેન હિમાંશુભાઈ સંઘાણીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે