ખેડૂત આંદોલનના કારણે ઉદ્યોગ ઠપ થવાથી 40થી વધારે દેશોમાં સામાનની નિકાસ થઈ શકતી નથી. ખેડૂત આંદોલનના કારણે સામાન ફેક્ટરીથી બહાર કાઢી ન શકાતો હોવાને કારણે નિકાસ બંધ છે અને સાથે કાચો માલ પણ આવી રહ્યો નથી.
ખેડૂત આંદોલનનો 17મો દિવસ
40થી વધુ દેશોમાં નિકાસ અટકી
કારોબારીઓએ કહ્યું કે આંદોલનથી ધંધાને મોટું નુકસાન
ખેડૂત આંદોલનના કારણે ઉદ્યમીઓ ફસાયા છે. તેઓ દેશના ગ્રાહકોને સમજાવી રહ્યા છે પણ અન્ય દેશને સમજાવવામાં મુશ્કેલી આવી રહી છે. જૂના વ્યાપારિક સંબંધો પણ વિખેરાઈ રહ્યા છે અને મોટું નુકસાન મલ્ટીનેશનલ કંપનીઓને થઈ રહ્યું છે.
આંદોલનની ઉદ્યોગો પર માઠી અસર
છેલ્લા 17 દિવસથી ખેડૂતો કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને નેશનલ હાઈવે 44ની સિંધુ બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે. બોર્ડરથી હરિયાણાની તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેનાથી કુંડળી ઓદ્યોગિક ક્ષેત્ર બંધ થઈ ગયું છે. આ સિવાય નાથુપૂર સબૌલીનો વ્યવહાર પણ બંધ છે. અહીંથી ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી વાહન ન તો બહાર જઈ રહ્યા છે અને ન અંદર આવી રહ્યા છે.
આ દેશો સાથેના વ્યવહારમાં થઈ રહ્યું છે નુકસાન
જે ઉદ્યોગોને મોટી અસર થઈ રહી છે તેમાં સ્ટીલ અને અન્ય ધાતુઓની સાથે વાસણ, સ્વાસ્થ્ય અને સ્ટીલ, દવાઓ, પ્લાસ્ટિકના સાધનો, વિદેશમાં સપ્લાય થતી જગ્યાઓ જેમકે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈઝરાયલ, યૂકે, યૂએઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈટલી, ગ્રીસ, વેનેઝુએલા, તુર્કી, થાઈલેન્ડ, તાઈવાન, સ્વિત્ઝરલેન્ડ, સ્પેન, સિંગાપુર, સઉદી અરબ, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, ઈટલી, ઈન્ડોનેશિયા સામેલ છે. આ આંદોલન ક્યારે ખતમ થશે તેનો કોઈ અંદાજ નથી અને નુકસાન થઈ રહ્યું છે.
આંદોલનથી નિકાસ અટકવાની વાતને લઈને વિદેશીઓ અચરજમાં
વિદેશીઓ આંદોલનના કારણે માલ ન પહોંચાડી શકવાની વાત માનવા તૈયાર થતા નથી. આ સાથે ફેક્ટરીમાં સામાન એટલી સંખ્યામાં ભેગો થી ગયો છે કે તેને રાખવાની જગ્યાની પણ અછત થઈ રહી છે. તેને પાર્કમાં રાખવો પડી રહ્યો છે. પહેલાં માલ તૈયાર થતો અને તેને મોકલી દેવાતો. તેનો આધાર કાચા માલ પર પણ રહેતો હતો.
કારોબારીઓએ કહ્યું આવું
ખેડૂત આંદોલનના કારણે ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે અને ફેક્ટરી માલિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી આ સમયે રાહત મળે તેવો કોઈ ઉપાય શોધવો રહ્યો. અનેક દેશોમાં નિકાસ અટકવાના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રશાસન જલ્દી કોઈ પગલાં લે તેવી આશા છે.