દેશમાં ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. લોકો 80-90 રૂપિયે કિલોના ભાવે ડુંગળી ખરીદવા માટે મજબૂર છે. આ સમયે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ડુંગળીના વધતા ભાવના સંકટને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની નિકાસ પર નવો આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
સરકારે ડુંગળીની નિકાસ પર તાત્કાલિક ધોરણે લગાવ્યો પ્રતિબંધ
છેલ્લા કેટલાય દિવસોથી ડુંગળીના ભાવ આસમાને
દિલ્હીમાં કેજરીવાલ સરકાર મોબાઈલ વેનથી પહોંચાડી રહી છે ડુંગળી
કેન્દ્ર સરકાર પોતાના સ્ટોકમાંથી રાજ્યોને આપે છે ડુંગળી
દેશભરમાં ડુંગળીના સતત વધતા ભાવને લઈને કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવી છે. આ પહેલાં પણ કેન્દ્રીય ખાદ્ય વિભાગના આયાત મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે કેન્દ્રની પાસે પૂરતા પ્રમાણમાં ડુંગળીનો સ્ટોક છે. તે વિવિધ રાજ્યોમાંથી આયાત કરી રહી છે જેના કારણે તેની કિંમત ઘટશે.
ચૂંટણીમાં રહેશે નુકસાનનો ડર
આવનારા થોડા દિવસમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. આ સમયે એ ચિંતા છે કે જો ડુંગળીના ભાવ અનિયંત્રિત રહેશે તો તેનું નુકશાન ચૂંટણીમાં જોવા મળી શકે છે. સરકાર આ બાબતને લઈને કોઈ જોખમ લેવા ઈચ્છતી નથી. માટે હાલમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Union Ministry of Commerce & Industry: Export policy of Onion is amended from free to prohibited till further orders. Hence, export of all varieties of onions is prohibited with immediate effect pic.twitter.com/MHNLqIPB2J
24 સપ્ટેમ્બરે કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે સરકાર ડુંગળીની કિંમતોમાં ઘટાડો કરવાની કોશિશ કરી રહી છે. હાલમાં 50 હજાર ટનનો બફર સ્ટોક છે. જેનાથી મંડીમાં આવક વધારવામાં આવી રહી છે. દેશના અનેક રાજ્યોમાં ડુંગળીનો ભાવ 70થી 80 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. એવામા કેન્દ્ર સરકાર ડુંગળીના વેપારીઓ માટે સ્ટોકની સીમા નક્કી કરવાનું વિચારી રહી છે.
જાણો ક્યાં કેટલા રૂપિયા સુધી પહોંચ્યો ડુંગળીનો ભાવ
25 સપ્ટેમ્બરના રોજ ગ્રાહકો માટે મંત્રાલયોએ દિલ્હી, મુંબઈ અને લખનઉ જેવા શહેરોમાં નક્કી કરેલો ભાવ 60 રૂપિયે કિલો છે. મુંબઈમાં આ ભાવ 58 રૂપિયે અને ચેન્નઈમાં 42 રૂપિયે કિલોનો છે. કાનપુરમાં ડુંગળીની કિંમત 70 રૂપિયે કિલો છે અને સાથે પોર્ટ બ્લેયરમાં 80 રૂપિયાનો ભાવ છે.
હાલમાં ડુંગળીના ભાવ ઉત્પાદન અને ગુણવત્તાના આધારે દેશમાં મોટાભાગની જગ્યાઓએ 70-80 રૂપિયે કિલોનો ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર જેવા પૂર પ્રભાવિત રાજ્યોમાં આયાત રોકાઈ જવાના કારણે ડુંગળીના ભાવ સતત વધી રહયા છે.