જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળ પર આતંકી હુમલાઓ ઉભા રહેવાનું નામ લેતું નથી. શુક્રવારે આતંકીઓએ કાશ્મીર ઘાટીમાં એક વાર ફરી ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલો કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં થયેલો ત્રીજો હુમલો છે.
શુક્રવારના રોજ આતંકીઓએ શ્રીનગરના ઘંટા પર લાલ ચોક પાસ અને શોપિયામાં સુરક્ષા દળને નિશાન બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે આ અગાઉ ગુરૂવારે પણ આતંકીઓએ શ્રીનગરમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં આસિસ્ટન્ટ સબ ઇન્સપેકટર (ASI) ઇકબાલ સિંહ અને બે ટ્રાફિક પોલિસ કર્મી સહિત 6 લોકોને ઇજા પહોંચી છે. ASI ઇકબાલ સિંહ જમ્મૂ એન્ડ કાશ્મીર આર્મ્ડ પોલીસની 14 બટાલિયનમાં કાર્યરત છે. ગુરૂવારે થયેલા ગ્રેનેડ હુમલામાં આ બંનેના પગમાં ઇજા પહોંચી હતી.
આજરોજ આતંકીઓએ પહેલો હુમલો શ્રીનગરના ઘંટા ઘર પર લાલ ચોક નજીક સુરક્ષાદળને નિશાન બનાવી કર્યો હતો જ્યારે બીજો હુમલો દક્ષિણ કાશ્મીરના શોપિયામાં પોલીસ કેમ્પ પર કર્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં સુરક્ષા દળના વાહન તેમજ આસપાસની દુકાનોને ક્ષતિ પહોંચી હતી.
જો કે હજુ સુધી આ હુમલામાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ગ્રેનેડ હુમલા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે હજુ સુધી આ ત્રણેય હુમલાની કોઇ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.