અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને 10 ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ
મસ્જિદ પાસે શુક્રવારની નમાઝ બાદ બ્લાસ્ટ થયો
ઘટનામાં 4 લોકોના મૃત્યુ, 10 લોકો ઘાયલ થયા છે
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. અફગાનિસ્તાનમાં વિસ્ફોટોની અનેક ઘટનાઓ વચ્ચે વધુ એક વખત અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજધાનીની એક મસ્જિદ પાસે શુક્રવારની નમાઝ બાદ બ્લાસ્ટ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને 10 ઘાયલ થયા હતા.
મસ્જિદોમાં વારંવાર થતા વિસ્ફોટ
મસ્જિદોમાં શુક્રવારની નમાઝને નિશાન બનાવતી જીવલેણ શ્રેણીમાં તાજેતરના મહિનાઓમાં આ વિસ્ફોટ તાજેતરનો છે. આતંકવાદી જૂથો અફઘાનિસ્તાનમાં મસ્જિદોને નિશાન બનાવતા રહે છે. શુક્રવારે શહેરના રાજદ્વારી ક્વાર્ટર્સમાં થયેલા વિસ્ફોટની થોડી મિનિટો બાદ, કાળા ધુમાડાનો એક ગોળો આકાશમાં જોવા મળ્યો હતો અને ગોળીઓ ચલાવવામાં પણ આવી હતી.
કાબુલ પોલીસ વડાએ જાનહાનિની પુષ્ટિ કરી
કાબુલ પોલીસ વડાના પ્રવક્તા ખાલિદ ઝદરાને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, "આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકોએ ઈબાદત બાદ મસ્જિદની બહાર આવવા લાગ્યા હતા. તમામ જાનહાનિ નાગરિકોની છે, જેની ચોક્કસ સંખ્યા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. '
4 લોકોના મૃત્યુ
ઇટાલિયન-એનજીઓ દ્વારા સંચાલિત ઇમરજન્સી હોસ્પિટલે જણાવ્યું હતું કે વિસ્ફોટ દ્વારા 14 લોકોને નિશાન બન્યા હતા, જેમાંથી ચારના મોત થયા હતા. આ વિસ્ફોટ વઝીર અકબર ખાનમાં થયો હતો, જે અગાઉ શહેરના 'ગ્રીન ઝોન'નું ઘર હતું, જે અનેક વિદેશી દૂતાવાસો અને નાટોનું સ્થાન હતું, પરંતુ હવે તેના પર શાસક તાલિબાનનો અંકુશ છે. ગૃહ મંત્રીના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે મસ્જિદની પાસે મુખ્ય રસ્તા પર બ્લાસ્ટ થયો છે. કારણની તપાસ કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. ટાકોરે જણાવ્યું હતું કે, પોલીસની ટીમો ઘટના સ્થળે છે, અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.