વડોદરાના બિલ્ડર મિહીર પંચાલના મોત મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSL અને વિસેરા રિપોર્ટ આવતા મિહીરના મોત અંગે ખુલાસો થયો છે. શોર્ટ સર્કિટના કારણે જ ગાડીમાં આગ લાગી હોવાનુ સામે આવ્યુ છે.
મિહીરના શરીરમાં ઝેર ન હોવાનું વિસેરા રિપોર્ટમાં પણ સામે આવ્યું છે. કારમાં આગ લાગવાથી સળગી જવાથી મિહીર પંચાલનું મોત થયુ હતુ.. જોકે હજી પણ ફોર્ડ કંપનીના અને DNA રિપોર્ટ આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં કારમાં આગ લાગતાં બિલ્ડિર મીહિર પંચાલનું મોત નિપજ્યું હતું. ત્યારે આગ લાગવાની ઘટના ફૂટેજ સામે આવ્યા હતા. વડોદરામાં બિલ્ડર પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યો હતો તે સમયના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.
જોકે વડોદરાના બીલ્ડર મિહીર પંચાલનું કારમાં આગ લાગતા મોત થતા અનેક સવાલો ઉપજ્યા હતા. લાખો રૂપિયા ખર્ચ બાદ પણ કારમાં સેફ્ટી ન હોવાનું ઉદાહરણ જોવા મળ્યું હતું.
આમ વડોદરાના બિલ્ડર મિહીર પંચાલના મોતના મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. કારમાં આગ લાગવાના મામલે FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.
FSLની ટીમે ઘટનાસ્થળેથી નમૂના લીધા હતા. આ ઘટનામાં પોલીસ હત્યા કે અકસ્માત મુદ્દે તપાસ કરી રહી છે ત્યારે શોર્ટ સર્કિટના કારણે જ ગાડીમાં આગ લાગી હોવાનુ બહાર આવ્યું છે.