વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, ધર્મેન્દ્રસિંહ વાઘેલા શપથવિધિમાં નહીં રહે હાજર, તબિયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ ધર્યું, કહ્યું મારી પ્રજા PM મોદી અને અમિત શાહના કાર્યોથી ખુશ
વડોદરાથી વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યનો ખુલાસો
આવતીકાલે શપથવિધિમાં હાજર નહીં રહે ધર્મેન્દ્રસિંહ વાઘેલા
તબિયત નાદુરસ્ત હોવાના કારણે ધર્મેન્દ્રસિંહ નહીં રહે હાજર
હું શરૂઆતથી ભાજપ સાથે જ છું: ધર્મેન્દ્રસિંહ
નવી સરકારની રચના પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય ધારાસભ્યો ક્યાપક્ષમાં જોડાશે તેને લઈ ચર્ચા ચાલી હતી જેમાં ચર્ચાઓ એવી હતી કે, અપક્ષમાંથી ચૂંટણી જીતેલા ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ખુલાસો
વડોદરાથી વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યને લઇને ખુલાસો સામે આવ્યો છે જેમાં આવતીકાલે શપથવિધિમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર નહીં રહે પાપ્ત માહિતી અનુસાર તબિયત નાદુરસ્ત હોવાના કારણે ધર્મેન્દ્રસિંહ હાજર નહીં રહે તેમજ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે કે નહીં તે બાબતે સસ્પેન્સ યથાવત છે. તેમણે કહ્યું કે, વાઘોડિયાની જનતા અને કાર્યકરો કહેશે તો જ ભાજપમાં જોડાઈશ તેમણે કહ્યું કે, હું શરૂઆતથી ભાજપ સાથે જ છું અને મારી પ્રજા PM મોદી અને અમિત શાહના કાર્યોથી ખુશ છે તેમણે જણાવ્યું કે, જો જનતા કહેશે તો હું વાજતે ગાજતે ભાજપમાં જોડાઇશ અને મેં શરૂઆત થી જ ભાજપને ટેકો જાહેર કરેલો જ છે અમે કાલે ખેસ નહીં પહેરિયે તેમણે કહ્યું કે, જનતા કહેશે ત્યારે મારા તમામ કાર્યકર્તાઓ સહિત કેસરિયો ધારણ કરીશું
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63,899 મતો મળ્યા હતા. શપથ લીધા પહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો.