ફિલ્મના નામ આદિપુરુષ શબ્દ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. વેદમાં આદિપુરુષનો શું અર્થ છે અને આદિપુરુષ કોણ છે, તે બાબતે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
16 જૂનના રોજ ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થશે
આદિપુરુષનો શું અર્થ છે?
માન્યતા અનુસાર આદિપુરુષ પરમેશ્વર છે
16 જૂનના રોજ ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થશે. આ ફિલ્મ રામાયણ મહાકાવ્યથી પ્રેરિત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી ફિલ્મના નામ આદિપુરુષ શબ્દ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. વેદમાં આદિપુરુષનો શું અર્થ છે અને આદિપુરુષ કોણ છે, તે બાબતે અહીંયા જાણકારી આપવામાં આવી છે. આદિપુરુષ બે શબ્દથી બન્યો છે, આદિ અને પુરુષ. આદિપુરુષનો અર્થ થાય છે પહેલો પુરુષ. હિંદુ માન્યતા અનુસાર આદિપુરુષ પરમેશ્વર છે, જેમણે સંપૂર્ણ સૃષ્ટીની રચના કરી છે.
આદિપુરુષનો અર્થ
વેદ અનુસાર ત્રણ તબક્કા હોય છે- સત્ય, અસત્ય અને મિથ્યા. સત્ય એ હોય છે કે, જેનું અસ્તિત્વ હોય છે, પરંતુ પરિવર્તનશીલ હોતું નથી. અસત્ય એ છે કે, જેનું કોઈ અસ્તિત્વ નથી. મિથ્યા એ છે કે, જેનું અસ્તિત્વ છે, પરંતુ પરિવર્તનશીલ છે. આ વિશ્વનું આપમેળે નથી થયું, પરંતુ ઈશ્વર આ જગતનું નિર્માણ અને સંચાલન અલૌકિક શક્તિથી કરે છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન બ્રહ્માએ જગતનું નિર્માણ કર્યું છે.
ભાગવત અનુસાર ભગવાન વિષ્ણુની નાભિમાંથી ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને તેમણે સૃષ્ટિનું નિર્માણ કર્યું. વૈષ્ણવ સંપ્રદાયના લોકોનું માનવું છે કે, ભગવાન વિષ્ણુ ઈશ્વર છે, જેઓ સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. બીજી તરફ શૈવ સંપ્રદાયના લોકોનું માનવું છે કે, ભગવાન શિવ ઈશ્વર છે, જેઓ સાધકના ઈચ્છિત આકારનું રૂપ લે છે. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એકબીજાની પૂજા કરે છે.
આદિપુરુષ ઈશ્વર છે, જેમને ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શિવના રૂપ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ અલગ અલગ યુગમાં આ જગતમાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના રૂપમાં આ વિશ્વમાં જન્મ લીધો હોવાનું રામાયણ તથા મહાભારત મહાકાવ્યમાં કરવામાં આવી છે. ભગવાન રામના જીવન પર આધારિત આ ફિલ્મને આદિપુરુષ નામ આપવામાં આવ્યું છે.