સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હાલમાં જ કેટલાય અધિકારીઓ સાથે હવામાં ઉડતી બસોનો આઈડીયા વિશે વાતચીત કરી છે.જે આગામી સમયમાં ભારતમાં આવી શકે છે.
નીતિન ગડકરી લાવ્યા નવો આઈડીયા
હવામાં ઉડતી બસો ભારતમાં આવી શકે છે
જોઈ લો તેના ફાયદા અને કેટલો આવશે ખર્ચ
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હાલમાં જ કેટલાય અધિકારીઓ સાથએ હવામાં ઉડતી બસોનો આઈડીયા વિશે વાતચીત કરી છે. સરકાર તેના પર આગળ વધી રહી છે. તેની જાણકારી આપતા તેમણે ખુદ એક ટ્વિટ કર્યું છે. પણ શું તમે જાણો છો કે, હવામાં ઉડતી બસ એટલે કે એરિયલ ટ્રામ વે હોય છે કેવી અને કેવી રીતે કરે છે કામ. તેના ફાયદા શું છે. હાલમાં ક્યા ક્યા દેશોમાં આ પ્રકારની ટ્રાંસપોર્ટ સુવિધા ઉપયોગમાં લેવાય છે.
શું હોય છે એરિયલ ટ્રામ વે
એરિયલ ટ્રામ વે એક અત્યાધુનિક ટ્રાંસપોર્ટ ફેસિલિટ છે. સડક પર મોટા ટ્રાફિક દબાણ, મેટ્રોલ અથવા મોનોરેલમાં વધતી ભીડના કારણે હવે આ ટ્રાંસપોર્ટ સિસ્ટમને ભારતમાં પણ અપનાવવાની વાત ચાલી રહી છે. પહાડી વિસ્તારમાં વાહનવ્યવહારને સુગમ બનાવવામાં તેનું અભૂતપૂર્વ યોગદાન બની શકે છે. ખાસ કરીને લોકોને તેને રોપ વે સમજી લેતા હોય છે, પણ આ તેનાથી ખૂબ જ અલગ છે. તો આવો જાણીએ તેમાં શું શું ખાસ હોય છે.
આવી રીતે કામ કરે છે એરિયલ ટ્રામ વે
જો આપે ક્યારેય પહાડોની મુસાફરી કરી હોય તો, રસ્તામાં કોઈ ગામની આજૂબાજૂમાં નદી અથવા ખીણને પાર કરવા માટે લોકો રસ્સીના સહારો લઈને સામાન ખેંચતા દેખાતા હોય છે. તેમાં બંને છેડેથી એક રસ્સી મજબૂત રીતે બાંધેલી હોય છે. જ્યારે એક રસ્સીના સહારે માણસ પોતાના વજન બરાબરની તાકાતનો ઉપયોગ કરીને પોતાની જાત અને સામાનને ખેંચતો હોય છે. હવે જો કઈ મેકેનિઝ્મને આપ ઈલેક્ટ્રિક મોટર અને ટ્રેક્શન કંટ્રોલ યુનિટખી જોડી દે તો બની જાય છે, આજના જમાનાની એરિયલ ટ્રામ વે
રોપ વેથી કઈ રીતે અલગ છે એરિયલ ટ્રામ વે
જો આપ ક્યારેય જમ્મુ કશ્મીરના ગુલમર્ગ અથવા ઉત્તરાખંડના ઓલીમાં ગયા હોય તો, આપ રોપવે સફર કરી હશે. વિદેશમાં કેટલાય ટૂરિસ્ટ સ્પોટ પર તેને લગાવામાં આવે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં, લોકો આ એરિયલ ટ્રામ વે સમજી લેતા હોય છે. પણ રોપ છે, નહીં કે એરિયલ ટ્રામ વે. રોપમાં કેટલાય કેબિન બંધાયેલા હોય છે, જ્યારે એક હોલેજ રોપ હોય છે, જેના પર તમામ કેબિન લાગેલા છે, જે સતત મૂવમેન્ટ કરતા રહે છે. મતલબ કે, તેનું મૂવમેંટ સર્કુલર હોય છે. એરિયલ ટ્રામ વે અહીંયા જ રોપવેથી અલગ પડે છે. સામાન્ય રીતે એરિયલ ટ્રામ વે એક રૂટ પર બે જ કેબિન હોય છે. જ્યારે બીજૂ કેબિન નીચે જાય છે. તેમાં કેબિન સર્કુલર મૂવમેંટ માં ન ચાલીને આગળ અને પાછળ ડાયરેક્શનમાં જ ચાલે છે.
એરિયલ ટ્રામ વેના ફાયદા
પહાડી અથવા દુર્ગમ વિસ્તારમાં જ્યાં રોડ બનાવવો કપરું અથવા તો મોંઘુ બને છે, ત્યાં એરિયલ ટ્રામ વે વાહનવ્યવહાર માટે મોટો મદદગાર સાબિત થઈ શકે છે. તેમાં એક વારમાં 25થી 230 મુસાફરો સફર કરી શકે છે. સાથે જ સામાનને પણ લાવવા લઈ જવામાં આવે છે. તેની સ્પિડ 45 કિમી પ્રતિ કલાકની હોય છે. ત્યારે આવા સમયે શહેરોમાં પણ ટ્રાંસપોર્ટ માટે ઉપયોગમાં તેને લઈ શકાય છે. કારણ કે મેટ્રો અથવા મોનોરેલ વગેરેની સરખામણીમાં તેનો ખર્ચો ખૂબ ઓછો આવે છે. સાથે તે જગ્યા પણ ઓછી રોકે છે.