નાણા મંત્રાલયે બિન કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપતા ગુરુવારે આલાન કર્યું છે કે તેમને LTC કેશ વાઉચર સ્કીમમાં બદલાયેલા ટેક્સમાં છુટનો લાભ મળશે. અને તેના માટે પ્રવાસ કરવાની જરુર નથી. જાણો શું છે એલટીસીમાં છુ અને શું છે આ એલાનનો મતલબ.
ખાનગી કર્મચારીઓને લીવ ટ્રાવેલ અલાઉન્સ એટલે કે એલટીએ મળે છે
એલટીસી ફેરના સમરક્ષ મળનારી રોકડ ચૂકવણી પર ટેક્સની છુટ આપવામાં આવશે
જીએસટી બિલની સાથે સામાન ખરીદી ટેક્સ છુટ મેળવી શકે
ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 ઓક્ટોબરે નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક મહત્વ પૂર્વ જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ LTC યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ 4 વર્ષમાં કર્મચારી 2વાર LTCનો લાભ લઈ શકશે છે. LTC અંતર્ગત કર્મચારી દેશમાં ગમે ત્યાં ફરવા જઈ શકશે છે. કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે. આનો મતલબ છે કે એલટીસી અંતર્ગત પ્રવાસ ટેક્સ ફ્રી રહશે. આ માટે કર્મચારીઓને ખર્ચ અને ભાડુ ત્રણ ગણું હોવું જોઈએ. તેમને સામાન જીએસટી રજિસ્ટર્ડ વેન્ડરથી લેવાનો રહેશે. જેની ચૂકવણી ડિજિટલ કરવાની રહેશે.
નોંધનીય છે કે નાણા મંત્રીએ જણાવ્યું હતું કે એલટીસી કેશ વાઉચર સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓની પાસે લીવ એન્કેશમેન્ટ બાદ કેશ મેળવવાનો પણ વિકલ્પ રહેશે. તેમણે 3 વાર માટે ટિકિટ ભાડુ, 12 ટકા અથવા તેનાથી વઘારે જીએસટી વાળા પ્રોડેક્ટ ખરીદીવા માટે ખર્ચ આપવામાં આવશે. આ માટે માત્ર ડિજિટલ લેવડ દેવડની જ પરવાનગી રહેશે અને જીએસટી ઈનવોઈસ પણ જમા કરાવવાનું રહેશે. સરકારને આશા છે કે એલટીસી કેશ વાઉચર સ્કીમના લગભગ 28 હજાર કરોડ રુપિયાના કન્ઝ્યુમર માંગ વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરુઆત કરવામાં આવી છે. આ અંતર્ગત કર્મચારી એડવાન્સમાં 10 હજાર રુપિયા લઈ શકે છે.
હવે ખાનગી અને રાજ્યના કર્મચારીઓને આનો ફાયદો કેવી રીતે મળશે
હવે નાણા મંત્રાલયે કહ્યું કે રાજ્ય સરકારોના કર્મચારીઓ, રાજ્ય સરકારોની ઉદ્ધમીઓના કર્મચારીઓ અને ખાનગી વિસ્તારના કર્મચારીઓને એલટીસીના સમકક્ષ જે પણ ભથ્થું મળતું હોય તેમાં ટેક્સનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે ખાનગી કર્મચારીઓને લીવ ટ્રાવેલ અલાઉન્સ એટલે કે એલટીએ મળે છે.
નાણા મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું કે અન્ય કર્મચારીઓને લાભ પહોંચાડવા માટે નક્કી કરવામાં આવ્યું છે કે એલટીસી ફેરના સમરક્ષ મળનારી રોકડ ચૂકવણી પર ટેક્સની છુટ આપવામાં આવશે.
એલટીસી હેઠળ ખાનગી સેક્ટરના કર્મચારીઓને પ્રવાસ પર કે હોલિડે પર હોમટાઉન જાય છે તો કે ભાડું રિઈમ્બર્સ થાય છે. પરંતુ હવે કર્મચારીઓને પ્રવાસ કરવાની જરુર નથી અને તે જીએસટી બિલની સાથે સામાન ખરીદી ટેક્સ છુટ મેળવી શકે છે. બિન સરકારી કેન્દ્રીય કર્મચારીઓની બાબતમાં 36 હજાર રુની એલટીસી સમકક્ષ રકમને ટેક્સ છુટનો ફાયદો મળશે.