ઓક્ટોબરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા છે.
NIDM તરફથી એક રિપોર્ટ તૈયારી કરવામાં આવી છે
ઓક્ટોબરમાં ત્રીજી લહેરની આશંકા
ત્રીજી લહેર દરમિયાન બાળકોને લઈને વધારે સાવધાની વર્તવાની જરુર
NIDM તરફથી એક રિપોર્ટ તૈયારી કરવામાં આવી છે
કોરોનાના કેસને લઈને નવી આશંકાએ ચિંતા વધારી છે. વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર ઓક્ટોબરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા છે. ગૃહમંત્રાલયનના નિર્દેશ પર નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) તરફથી એક રિપોર્ટ તૈયારી કરવામાં આવી છે. જેમાં ઓક્ટોબરમાં ત્રીજી લહેરની આશંકા છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)તરફથી એક રિપોર્ટ તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં ઓક્ટોબરમાં ત્રીજી લહેરની આશંકાની વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં ત્રીજી લહેર દરમિયાન બાળકોને લઈને વધારે સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો દેશમાં રસીકરણની સ્પીડને વધારવામાં ન આવી તો ત્રીજી લહેરમાં દર રોજ સંક્રમિતોના આંકડા 6 લાખ સુધી પહોંચી શકે છે.
ત્રીજી લહેર દરમિયાન બાળકોને લઈને વધારે સાવધાની વર્તવાની જરુર
NIDM તરફથી આ રિપોર્ટ વિશેષજ્ઞોની વાતચીત બાદ તૈયાર કરવામાં આવી છે અને તેમાં કોરોનાના પ્રસાર સાથે જોડાયેલા પાસા અને બચાવ માટેના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ જણાવે છે કે ત્રીજી લહેર દરમિયાન બાળકોને લઈને વધારે સાવધાની વર્તવાની જરુર છે અને બાળકોને પ્રાથમિક્તાથી રસી લગાવવા પર ધ્યાન આપવુ પડશે.
બાળકોની દેખરેખ માટે હોસ્પિટલને એલર્ટ મોર્ડમાં રહેવાની ભલામણ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજી બિમારીથી પીડિત બાળકોના પ્રાથમિકતા આપવી પડશે. સાથે જ શિક્ષક, સ્કૂલ સ્ટોફનું રસીકરણ ફરજીયાત કરવુ પડશે. બાળકોની દેખરેખ માટે હોસ્પિટલને એલર્ટ મોર્ડમાં રહેવાની વાત પણ રિપોર્ટમાં કહેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો બાળકો સંક્રમિત થાય છે તો મા-બાપને પણ હોસ્પિટલમાં રાખવાની વ્યવસ્થા કરવી પડશે. બાળકોને રસી આપતા સમયે વધારે સાવધાની વર્તવાની ભલામણ રિપોર્ટમાં કરવામાં આવી છે.