સંક્રમણને નિયંત્રિત કરવા માટે સમાજની ભૂમિકાને નજર અંદાજ ન કરી શકાય
સંક્રમણની ગંભીરતા અને રસીકરણ દર અંગેની અસ્પષ્ટ જાણકારી ને કારણે લોકો...
બેદરકારીનું કારણ એ છે કે લોકો સંકટને નથી જોઈ શકતા
સંક્રમણને નિયંત્રિત કરવા માટે સમાજની ભૂમિકાને નજર અંદાજ ન કરી શકાય
ભારતમાં કોરોનાના મામલા ઓછા થવા પર લોકો કામ વગર પણ ઘરની બહાર નીકળી રહ્યા છે અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે. જેને પગલે વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સંક્રમણને નિયંત્રિત કરવા માટે સમાજની ભૂમિકાને નજર અંદાજ ન કરી શકાય. લોકો સંકટને નથી સમજી રહ્યા.
સંક્રમણની ગંભીરતા અને રસીકરણ દર અંગેની અસ્પષ્ટ જાણકારી ને કારણે લોકો...
વિશેષજ્ઞોનું એ માનવું છે કે જનતાના વલણમાં ફેરફાર માટે સરકારમાં તેમનો ભરોસો મહત્વનો હોય છે. પરંતુ દુર્ભાગ્યથી દેશમાં લોકોનો રાજકીય પાર્ટીઓ માં ભરોસો ઓછો છે. તેમનું એમ પણ માનવું છે કે સંક્રમણની ગંભીરતા અને રસીકરણ દર અંગેની અસ્પષ્ટ જાણકારી આપવાથી ભ્રમની સ્થિતિ પેદા થઈ છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા અને અન્ય સંચાર માધ્યમો પર પર્વતીય પર્યટન સ્થળો પર પ્રવેશ માટે કારોની લાંબી કતાર અને લોકોની ભીડની તસ્વીરો સામે આવી છે. જેનાથી અનેક સ્તર પર ચિંતા વધી છે. પોતાની જીંદગીને પાટે ચઢાવવાના ચક્કરમાં લોકોએ બચાવના પાયાના ઉપાયો છોડી દીધા છે.
બેદરકારીનું કારણ એ છે કે લોકો સંકટને નથી જોઈ શકતા
વરિષ્ઠ મહામારી વિશેષજ્ઞ લલિત કાંતે કહ્યું કે નિયમોનું પાલન નહીં કરવુ, લોકોની ઉદાસીનતા અને જે થશે તે ઈશ્વરની મરજી હશેનું મિશ્રણ છે. માનવ વ્યવહાર અને સંબદ્ધ વિજ્ઞાન સંસ્થાનના નિર્દેશક નીમેશ દેસાઈનું કહેવું છે કે માસ્ક ન લગાવવુ અને સામાજિક અંતરનું પાલન નહીં કરવા જેવી બેદરકારીનું કારણ એ છે કે લોકો સંકટને નથી જોઈ શકતા.
જવાબદાર અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરાશે
તેમણે કહ્યુ કે લોકો સંકટને જે રીતે આંકે છે તે હિસાબથી પોતાનો વ્યવહાર બદલે છે. દેસાઈનું કહેવું છે કે ભારતમાં સામાજિક બે જવાબદારીની ભારે પ્રવૃત્તિ જોવા મળી છે. તેમણે કહ્યું કે લોકો વ્યવહાર બદલવા માટે પ્રેરિત કરવુ મુશ્કેલ છે. અશક્ય નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કહ્યું કે પર્વતીય પર્યટન સ્થળો સહિત દેશના અનેક ભાગોમાં કોવિડ 19 નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન જોવા મળ્યું છે અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના માનક સંચાલન પ્રક્રિયા(એસઓપી) લાગૂ કરવા માટે જવાબદાર અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું છે.