તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે એકબીજાથી છ ફૂટનું અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ) જાળવવાનો નિયમ પુરતો નથી. કારણ કે આ જીવલેણ વાઈરસ છીંક અથવા ખાંસીથી લગભગ ૨૦ ફૂટ સુધી જઇ શકે છે. એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.
સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હાલ છ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરતો નથી.
છિંક, ખાંસી અને સામાન્ય વાતચીતથી લગભગ 40,000 છાંટા બહાર નીકળે છે
કોરોના વાઈરસ ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ત્રણ ગણો ફેલાઇ શકે
વિજ્ઞાનીઓ દ્વારા વિભિન્ન વાતાવરણની સ્થિતિઓમાં ખાંસી ખાવી, છિંકવું અને શ્વાસ છોડતી વખતે નીકળનાર સંક્રમક પ્રવાહીના પ્રસારનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં જાણવા મળ્યું છે કોરોના વાઈરસ ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ત્રણ ગણો ફેલાઇ શકે છે. આ સંશોધકોમાં અમેરિકાના સાન્ટા બાર્બરા સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકો પણ સામેલ હતા. તેમના દાવા અનુસાર, છીંક કે ખાંસી ખાતી વખતે નિકળનારા સંક્રમણ છાંટા વાઈરસને 20 ફૂટના અંતર સુધી લઇ જઇ શકે છે. જોકે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હાલ છ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સિંગનો જે નિયમ છે તે પૂરતો નથી.
શોધના આધારે તેમણે જણાવ્યું કે, છિંક, ખાંસી અને સામાન્ય વાતચીતથી લગભગ 40,000 છાંટા બહાર નીકળે છે. આ છાંટા પ્રતિ સેકન્ડમાં કેટલાક મીટરથી માંડીને સો મીટર દૂર સુધી પણ જઇ શકે છે. આ રિસર્ચને લઇને વિજ્ઞાનીઓએ કહ્યું કે, છાંટાની ગતિ ગરમી અને પર્યાવરણની સાથે તેમના પ્રભાવની પ્રક્રિયા વાઈરસના પ્રસારની પ્રભાવશીલતા નિર્ધારિત કરે છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે, શ્વસન બૂંદોના માધ્યમથી કોવિડ-૧૯નું સંચરણ માર્ગ ઓછા અંતરના છાંટા અને લાંબા અંતરના એરોસોલ કણોમાં વિભાજીત છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, મોટા છાંટા ગુરૂત્વાકર્ષણના કારણે સામાન્ય રીતે કોઇપણ વસ્તુ પર જામી જાય છે, જ્યારે નાના છાંટા, એરોસોલ કણોને બનાવવા માટે ઝડપથી ઉડી જાય છે, આ કણ વાઈરસ લઇ જવામાં સક્ષમ હોય છે અને કલાકો સુધી હવામાં ફરે છે. તેના વિશ્લેષણ અનુસાર હવામાનનો પ્રભાવ પણ હંમેશા એક જેવો જ હોતો નથી.