એક્સપર્ટ અનુસાર હિમાચલમાં 24 મે એ, પંજાબમાં 22 મે એ અને આસામમાં 20-21 મે એ કોરોના પિક પર જઈ શકે છે
બીજી લહેર પૂરી થયાના 6-8 મહિના પછી શરૂ થશે ત્રીજી લહેર
એક ગાણિતિક મોડેલ SUTRA દ્વારા લગાવી શકાય છે અનુમાન
ત્રીજી લહેરમાં માત્ર સ્થાનિક રીતે ફેલાઈ શકે છે સંક્રમણ
બીજી લહેર પૂરી થયાના 6-8 મહિના પછી શરૂ થશે ત્રીજી લહેર
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરને લઈને સારા સમાચાર આવ્યા છે અને તે કયા મહિનામાં પૂરી થશે તેની જાણકારી એક્સપર્ટ પાસેથી જાણીએ. સાથે જ કોરોનાની ત્રીજી લહેર આવતા 6-8 મહિનામાં શરૂ થશે તેવી સંભાવના છે. વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌધ્યોગિક વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ત્રણ સભ્યોની ટીમે આ સંભાવના વ્યકત કરી છે. તેમના રિપોર્ટ અનુસાર મે ના અંત સુધીમાં રોજ 1.5 લાખ અને જૂનના અંત સુધીમાં 20 હજાર કેસો રોજ આવશે.
એક ગાણિતિક મોડેલ SUTRA દ્વારા લગાવી શકાય છે અનુમાન
તેમણે એક SUTRA કરીને ગાણિતિક મોડેલ બનાવ્યું છે. જે કોરોના વાયરસના કેસમાં અનુમાન લગાડવામાં મદદ કરે છે. જેના આધારે એક ચોક્કસ નિર્ણય પણ લઈ શકાય છે. આ પેનલના સભ્ય અને IIT કાનપુરના પ્રોફેસર મનીંદર અગ્રવાલે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં હવે કોરોનાની બીજી લહેર હવે પૂરી થવામાં છે. જ્યારે હિમાચલમાં 24 મે એ, પંજાબમાં 22 મે એ અને આસામમાં 20-21 મે એ કોરોના પિક પર જઈ શકે છે.
ત્રીજી લહેરમાં માત્ર સ્થાનિક રીતે ફેલાઈ શકે છે સંક્રમણ
આ મોડેલ મુજબ ભારતમાં ત્રીજી લહેર 6-8 મહિના પછી શરૂ થશે અને આ સમયે સંક્રમણ ઓછું ફેલાય તે માટેની તૈયારીઓ કરી શકાય છે. તેમણે કહ્યું કે "ત્રીજી લહેર માત્ર સ્થાનિક રીતે ફેલાશે અને ઘણા ઓછા લોકો સંક્રમિત થશે કારણકે ત્યાં સુધીમાં ઘણા લોકોએ વેક્સિન લઈ લાઇધઈ હશે. ઓકટોબર 2021 સુધી તો ત્રીજી લહેર નહીં જ આવે. IIT હૈદરાબાદના પ્રોફેસરે જણાવ્યું કે દેશમાં વેકસીનેશનની ઝડપ વધારવી પડશે અને જો લોકો કોરોનાના નિયમો બરાબર પાળશે તો ત્રીજી લહેરમાં ઘણી ઓછી જાનહાનિ થશે. તેમણે ઈટાલીનું પણ રિસર્ચ બતાવતા કહ્યું કે કો એન્ટિબોડી પૂરી થઈ જશે તો શરીરમાં ઇમ્યુનિટી ઓછી થવાની શક્યતા વધુ છે. તેથી રસીકરણ ઝડપી બનાવવું જ પડશે.